એપશહેર

વાસ્તુના નિયમો અનુસાર ઘરમાં લગાવશો આ છોડ તો ધન-સંપત્તિ નહીં ખૂટે

I am Gujarat 25 Jul 2019, 3:33 pm
વાસ્તુશાસ્ત્રમાં ઘર સંબંધિત દરેક વસ્તુ માટે દિશા નક્કી કરવામાં આવેલી છે. પૂજાસ્થાન હોય કે બાલકની, ફર્નિચર હોય કે ટોઈલેટની દિશા દરેક વસ્તુ માટે ખાસ દિશા નક્કી કરાયેલી છે. આ જ રીતે ફૂલ-છોડ માટે પણ દિશા નિશ્ચિત કરવામાં આવેલી છે. ફૂલ-છોડ યોગ્ય દિશામાં ઉગાડવામાં આવે તો ઘરની શોભા વધારવાની સાથે સુખ-શાંતિ લઈને આવે છે. જાણો, ઘરની કઈ દિશામાં કયો છોડ ઉગાડવો જોઈએ.
I am Gujarat according to vastushastra these plants are good for wealth
વાસ્તુના નિયમો અનુસાર ઘરમાં લગાવશો આ છોડ તો ધન-સંપત્તિ નહીં ખૂટે


આંગણામાં આ છોડને આપો સ્થાન
કેટલાક છોડ એવા છે જે આંગણામાં હંમેશા સરસ લાગે છે. દાડમ, તજ, નારિયેળ, આસોપાલવ, ગુલાબ, ચમેલી, કેસર અને ચંપા જેવા છોડ શુભ ફળદાયી હોય છે. જાંબુ, આંબો, કેળા, મહુવો, પીપળો, બોર વગેરે જેવા વૃક્ષોના છોડ આંગણામાં ન વાવવા જોઈએ.

બાલકની અને દરવાજા પર
પ્રગતિ ઈચ્છતા હો તો બાલકની કે ઘરના મુખ્ય દરવાજા પર વેલા ઉગાડો. એક વાતનું ધ્યાન રાખવું કે વેલ કમ્પાઉન્ડની દિવાલથી વધારે ઊંચે ના ચડી જાય. જો આમ થાય તો કાર્યમાં વિલંબ થઈ શકે છે.

તુલસી મૂકવાની યોગ્ય દિશા
તુલસીનો છોડ ઘરની ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં મૂકવો જોઈએ. આ દિશામાં તુલસીનો છોડ ઉગાડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ધનવર્ષા થાય છે.

ગુલાબ વિશે જાણી લો
આમ તો ઘરની અંદર કાંટાવાળા છોડ વાવવા વાસ્તુ અનુસાર ઉચિત નથી. પરંતુ ગુલાબનો છોડ ઉગાડી શકાય છે. બાલકનીમાં કે ઘરની અંદર ગુલાબના છોડનું કુંડું રાખી શકાય છે.

આ વૃક્ષોને ઘરમાં કદી ના વાવોપીપળા કે વડના વૃક્ષને ક્યારેય ઘરમાં ના ઉગાડો. વાસ્તુના હિસાબથી આ વૃક્ષોનું યોગ્ય સ્થાન ઘરની બહાર કે મંદિર પાસે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો