એપશહેર

ભાઈબીજની ઉજવણી કરવા માટે આ છે શુભ મુહૂર્ત

Hitesh Mori | I am Gujarat 28 Oct 2019, 7:01 pm
ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર એટલે કે ભાઈબીજ 29 ઓક્ટોબરને મંગળવારે ઉજવવામાં આવી રહી છે. ધાર્મિક કથાઓ અને માન્યતાઓ મુજબ આ તહેવાર સતયુગથી ચાલી રહ્યો છે. આ તહેવારનો સંબંધ મૃત્યુના દેવતા યમરાજ અને પ્યારી બહેન યમુના સાથે છે. દેવી યમુના નદી રૂપ ધારણ કરવા માટે પૃથ્વી પર ચાલી ગઈ જેનાથી યમરાજ અને યમુના ઘણો સમય સુધી મળી શક્યા નથી. એક વખત કાર્તિક શુક્લ પક્ષની બીજના રોજ યમરાજના મનમાં બહેન યમુનાને મળવાનો વિચાર આવ્યો. તેમણે યમલોકના કામમાંથી સમય કાઢી યમુનાને મળવાની યોજના બનાવી અને પૃથ્વી પર યમુનાને મળવા આવ્યા. ત્યારથી આ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ભાઈબીજ 29 ઓક્ટોબરે આ વર્ષે 29 ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યાથી 13 મિનિટથી દ્વિતીયા તિથિનો આરંભ થઈ રહ્યો છે. દ્વિતીયા તિથિ 30 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાની 30 મિનિટ સુધી રહેશે. શાસ્ત્રો અનુસાર ભાઈ બીજનો તહેવાર સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા દ્વિતીયા તિથિમાં ઉજવવી જોઈએ. સાંજે 5 વાગ્યાને 38 મિનિટ પર સૂર્યાસ્ત થઈ જશે. આ પહેલાનો સમય તહેવાર માટે શુભ ચોઘડિયામાં ઉજવણી કરવી જોઈએ. ભાઈબીજના શુભ ચોઘડિયા અને પૂજનનો સમય સવારે 10 વાગ્યાને 41 મિનિટથી 12 વાગ્યાને 5 મિનિટ સુધી શુભ ચોઘડિયા છે. આ સમયે પૂજન કરવું ઉત્તમ છે. ત્યાર બાદ બપોરે 1 વાગ્યાને 30 મિનિટ સુધી અમૃત ચોઘડિયામાં પણ તહેવાર ઉજવી શકાશે. અંતિમ શુભ ચોઘડિયા 2 વાગ્યાને 50 મિનિટથી 4 વાગ્યાને 14 મિનિટ સુધી રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો