એપશહેર

કોઈને પણ વશમાં કરી શકે છે 'હનુમાન શાબર મંત્ર'

Tejas Jinger | I am Gujarat 18 Oct 2017, 9:58 am
I am Gujarat chant this hanuman mantra
કોઈને પણ વશમાં કરી શકે છે 'હનુમાન શાબર મંત્ર'


હનુમાન શાબર મંત્ર

મંત્રોના મહત્વ વિશે તમે જાણતા જ હશો. તમામ બગડેલા કામ સારા કરવા માટે એક મંત્ર છે. બસ તમારે તેનું સાચું ઉચ્ચારણ કરવાનું હોય છે. આજે અમે આપને ‘હનુમાન શાબર મંત્ર’ વિશે જણાવીશું. જાણો શાબર મંત્ર શું છે? તેની મહત્તા શું છે અને તેનું ઉચ્ચારણ કઈ રીતે કરવું જોઈએ.

શાબર મંત્રોનો ઉદ્દેશ્ય

એવું માનવામાં આવે છે કે આ શાબર મંત્ર ગુરુ ગોરખનાથ જી અને નવનાથ ચૌરસી સિદ્ધોમાં લખેલા હતા. શાબર મંત્ર એક રીતે વશીકરણ મંત્ર છે. શાબર મંત્રથી કોઈ પણ વ્યક્તિને તેના ઉપયોગમાં લેતા પહેલા કોઈ સિદ્ધિ હાંસલ કરવાની જરુર નથી હોતી, કારણ કે તે પહેલાથી જ સિદ્ધ મંત્ર હોય છે.

હનુમાન મંત્ર અને શાબર મંત્ર

હનુમાન મંત્ર અને શાબર મંત્ર બન્નેનો પ્રયોગ વશીકરણ માટે કરવામાં આવે છે. હનુમાન મંત્ર અને શાબર મંત્ર બન્ને જ શક્તિશાળી છે. બન્ને મંત્રોમાં માત્ર એક જ અંતર છે, હનુમાન મંત્ર સાધન અને સિદ્ધિ માટે જરુરી છે જ્યારે શાબર મંત્ર વશીકરણ મંત્ર માટે સિદ્ધિ કરવી જરુરી નથી.

આ રીતે કરો હનુમાન શાબર મંત્રનો જાપ

હનુમાન શાબર મંત્રનો જાપ કરવા માટે કાળું કપડું પહેરીને મંગળવારે શરુઆત કરો. આ મંત્રની માળા લો અને તે માળાના પાંચ જાપ સળંગ 5 દિવસ સુધી કરો. સાધનાના અંતમાં ભગવાન હનુમાનની પૂજા કરો અને માળા માટે એક ખાડો ખોદો અને તેને જમીનમાં દાટી દો.

હનુમાન શાબર મંત્ર

હનુમાન જાગ, કિલકારી માર, તુ હુંકારે, રામ કાજ સઁવારે, ઓઢ સિંદૂર સીતા મૈયા કા, તુ પ્રહરી રામ દ્વારા. મે બુલાઉં, તુ અબ આ. રામ ગીત તુ ગાતા , નહીં આયે તો હનુમાન, શ્રી રામજી ઓર સીતા મૈયા કિ દુહાઈ. શબ્દો સાઁચા, પિંડ કાંચા, ફુરો મન્ત્ર ઈશ્વરોવાચા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો