એપશહેર

સળંગ ત્રણ શુક્રવાર કરો આ ઉપાય, અવશ્ય વરસશે લક્ષ્મીજીની કૃપા

ધન કમાવવા માટે વ્યક્તિ શું શું નથી કરતો. કેટલાક લોકો ખોટો રસ્તો અપનાવીને પણ ધન કમાવાની કોશિશ કરે છે. ધન કોઈપણ મેળવવા માંગે છે. વ્યક્તિ આના માટે સામ, દામ, દંડ, ભેદ એમ કોઈપણ ઉપાય કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ જો તમે શાસ્ત્રીય ઉપાય કરશો તો તમારે ધન કમાવા માટે ખોટા રસ્તા અપનાવાની જરૂર નહિ પડે. આ શાસ્ત્રીય ઉપાયથી તમે ધન તો કમાશો જ પણ લક્ષ્મી તમારી પાસે લાંબો સમય ટકી પણ રહેશે અને કોઈ વ્યર્થ કામમાં નહિ ખર્ચાય.

Agencies 28 Aug 2020, 7:09 am
ધન કમાવવા માટે વ્યક્તિ શું શું નથી કરતો. કેટલાક લોકો ખોટો રસ્તો અપનાવીને પણ ધન કમાવાની કોશિશ કરે છે. ધન કોઈપણ મેળવવા માંગે છે. વ્યક્તિ આના માટે સામ, દામ, દંડ, ભેદ એમ કોઈપણ ઉપાય કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ જો તમે શાસ્ત્રીય ઉપાય કરશો તો તમારે ધન કમાવા માટે ખોટા રસ્તા અપનાવાની જરૂર નહિ પડે. આ શાસ્ત્રીય ઉપાયથી તમે ધન તો કમાશો જ પણ લક્ષ્મી તમારી પાસે લાંબો સમય ટકી પણ રહેશે અને કોઈ વ્યર્થ કામમાં નહિ ખર્ચાય.
I am Gujarat do this on friday to attract peace and prosperity and worship gosess lakshmi
સળંગ ત્રણ શુક્રવાર કરો આ ઉપાય, અવશ્ય વરસશે લક્ષ્મીજીની કૃપા


ધન મેળવવાના ઉપાયઃ

આજે અમે તમને ધન મેળવવાના એવા ઉપાય જણાવી રહ્યા છે જે મા લક્ષ્મી સાથે જોડાયેલા છે. તમે શુક્રવારે મા લક્ષ્મીની ઉપાસના અને આ ઉપાય કરશો તો તમારા પર હંમેશા કૃપા વરસતી રહેશે અને તમને ક્યારેય પૈસાની ખોટ નહિ વર્તાય.

મંત્રઃ

ધનપ્રાપ્તિ માટે રોજ તમારે એક મંત્ર જાપ કરવાનો છે. પરંતુ માત્ર આ મંત્ર બોલવો જ જરૂરી નથી. આ સાથે તમારે બીજી કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવુ પડશે. મંત્રનો જાપ કરતા પહેલા તમારે વહેલા ઊઠી સ્નાન કરી લેવાનું છે. સ્નાન પછી ઘરના મંદિરમાં દીવો કરે અને પછી ॐ श्रीं श्रीये नम: મંત્રનો 108 વાર જાપ કરો.

કન્યાઓને ભોજનઃ

મંત્ર જાપ પૂર્ણ થાય પછી લક્ષ્મીજીને મિશ્રી અને ખીરનો ભોગ ધરાવો. ત્યાર પછી 7 વર્ષથી ઓછી ઉંમરની કન્યાઓને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો. ભોજનમાં મિશ્રી અને ખીર અવશ્ય જમાડો.

ક્યાં સુધી કરવો ઉપાય?

મારે આ કાર્ય ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી તમને લાગે કે તમારી આર્થિક સ્થિતિમાં પરિવર્તન નથી આવ્યું. ધ્યાન રહે, ભોજન હોય કે દાન, બંનેમાં ખીરનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા પર કૃપા વરસાવશે.

શુક્રવારે કરવો ઉપાયઃ

તમે જો ઓછામાં ઓછા ત્રણ શુક્રવાર સુધી આ ઉપાય કરશો તો તમારી પૈસાને લગતી બધી જ ચિંતાઓ દૂર થઈ જશે અને લક્ષ્મીજીની કૃપા તમારા પર વરસશે.

શુક્રવારે આટલુ અવશ્ય કરવુંઃ

શુક્રવારે નહાયા પછી લાલ કે સફેદ રંગના વસ્ત્રો પહેરો. વસ્ત્રો પહેર્યા પછી હાથમાં ચાંદીની વીંટી કે છલ્લુ પહેરો. આ દિવસે કોઈ બ્રાહ્મણને ચોખા અને ખાંડનું દાન આપો. ત્રણ શુક્રવાર આ ઉપાય કરવાથી ફળ મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો