એપશહેર

લીંબુ અને લવિંગથી આ રીતે કરો હનુમાનજીની પૂજા, કષ્ટ થશે દૂર

હનુમાનજીને સંકટ મોચક કહેવામાં આવે છે, એટલે કે તે તેમના ભક્તોના તમામ કષ્ટોને દૂર કરીને તેમને સુખી જીવન માટેનો માર્ગ બતાવે છે. હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ પૂજા-વિધિની જરુર નથી હોતી.

Tejas Jinger | I am Gujarat 22 Sep 2020, 7:07 am
હનુમાનજીને સંકટ મોચક કહેવામાં આવે છે, એટલે કે તે તેમના ભક્તોના તમામ કષ્ટોને દૂર કરીને તેમને સુખી જીવન માટેનો માર્ગ બતાવે છે. હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ પૂજા-વિધિની જરુર નથી હોતી.
I am Gujarat hanuman dada worship with cloves and lemon
લીંબુ અને લવિંગથી આ રીતે કરો હનુમાનજીની પૂજા, કષ્ટ થશે દૂર


દાદાની ભક્તો પર રહે છે કૃપા

જે વ્યક્તિ નિયમિત રામનું નામ લે છે, હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેમના પર દાદ હંમેશા કૃપા રાખે છે. જો તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી હોય અને તેનું સમાધાન ના આવતું હોય, કોઈ એવી મનોકામના હોય જે લાંબા સમયથી પૂરી ના થતી હોય તો આ ઉપાયથી તમારા કામ પૂર્ણ થશે.

લીંબુ અને લવિંગનો ઉપાય

હનુમાનજીને શનિના કષ્ઠોથી મુક્ત કરવાવાળા પણ માનવામાં આવે છે માટે જે વ્યક્તિ પર શનિની દશાઓના કારણે મુશ્કેલીઓ આવી રહી હોય તેમને હનુમાનજીની આરાધનાથી ફાયદો થાય છે અને દુઃખ, પીડા દૂર થાય છે. આ ઉપાયને તમે મંગળવારની સાથે શનિવારે પણ ઉપયોગમાં લઈ શકો છો.

આ રીતે કરો પૂજા

હિન્દી પંચાંગ મુજબ કોઈ પણ મંગળાવેર કે શનિવારે શુભ મુહૂર્ત જોઈને સવારે નિત્ય ક્રિયા કર્યા પછી હનુમાન મંદિરે જાવ. અહીં હનુમાન દાદાને એ લીંબુ અને 4 લવિંગ ચઢાવો. લવિંગની ઉપર લીંબુ લગાવીને ભગવાનને ચઢાવો.

મનોકામના પૂર્ણ થાય પછી આટલું કરો

આ પછી હનુમાનજીને તેલ અને સિંદૂર ચઢાવો અને પછી હનુમાન ચાલીસાના પાઠ કરો. હવે લીંબુમાંથી લવિંગ કાઢીને તેને હાથમાં લઈને હનુમાનજીને મનોમન પ્રાર્થના કરીને તમારી વાત કહો. આ લવિંગને ઘરે લઈ જઈને સુરક્ષિત જગ્યા પર મૂકી દો. જલદી મનોકામના પૂર્ણ થશે, આ પછી ભૂલ્યા વગર લવિંગને પાણીમાં પ્રવાહિત કરી દો.

Read Next Story