એપશહેર

શ્રાવણ મહિનામાં 10 ગણુ ફળ આપે છે શિવજીનો આ મહામંત્ર, જાણો

I am Gujarat 20 Jul 2019, 3:19 pm
આમ તો શિવજીની બારે માસ આરાધના થાય છે પરંતુ શ્રાવણ મહિનો શિવજીને વિશેષ પ્રિય છે. શ્રાવણ મહિનામાં શિવજીના મહામંત્ર અને તેમના 15 નામના જાપથી બધા જ સંકટથી છૂટકારો મળે છે. ભોળાનાથ માટે આખો શ્રાવણ મહિનો સમર્પિત છે. આ મહિનામાં શિવજીની આરાધના વિશેષ ફળદાયી પુરવાર થાય છે.
I am Gujarat importance of chanting maha mrutyunjay mantra in shravan month
શ્રાવણ મહિનામાં 10 ગણુ ફળ આપે છે શિવજીનો આ મહામંત્ર, જાણો


શ્રાવણમાં પોતાની આરાધના કરનાર ભક્તોને ભોળાનાથ ઋણ મુક્ત કરવાની સાથે રોગોથી છૂટકારો અપાવે છે, અકાળ મૃત્યુથી બચાવે છે. શ્રાવણ મહિનામાં શિવજીના પ્રિય મહામંત્ર સાથે તેમના નામનો જાપ કરવામાં આવે તો તેનું એક કે બે ગણું નહિ, દસ ગણુ ફળ મળે છે.

શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રને મહામંત્ર માનવામાં આવે છે. આ મંત્ર તમને સારુ સ્વાસ્થ્ય તો આપશે જ પણ સાથે સાથે અકળા મૃત્યુથી પણ બચાવશે. આ મંત્રના જાપ કરવાના એક નહિ અનેક ફાયદા છે.

મહામૃત્યુંજય મંત્રઃ

“ॐ ह्रौं जूं सः। ॐ भूः भुवः स्वः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌। स्वः भुवः भूः ॐ। सः जूं ह्रौं ॐ॥”

શ્રાવણ મહિનો શરૂ થતા જ દરરોજ શિવજીના આ નામોનો જાપ કરશો તો તમને ધન, સફળતા, સંતાન, પ્રમોશન, નોકરી, વિવાહ, પ્રેમ એમ બધે જ મોરચે સફળતા મળી શકે છે.

1 . ॐ शिवाय नम:
2. ॐ सर्वात्मने नम:
3. ॐ त्रिनेत्राय नम:
4. ॐ हराय नम:
5. ॐ इन्द्रमुखाय नम:
6. ॐ श्रीकंठाय नम:
7. ॐ वामदेवाय नम:
8. ॐ तत्पुरुषाय नम:
9. ॐ ईशानाय नम:
10. ॐ अनंतधर्माय नम:
11. ॐ ज्ञानभूताय नम:
12. ॐ अनंतवैराग्यसिंघाय नम:
13. ॐ प्रधानाय नम:
14. ॐ व्योमात्मने नम:
15. ॐ युक्तकेशात्मरूपाय नम:

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો