એપશહેર

ક્યારથી શરુ થઈ રહ્યો છે ખરમાસ? કમુરતાનો મહિનો પુણ્ય ભેગુ કરવા માટે છે શુભ

જ્યોતિષશાસ્ત્ર મુજબ ધર્મના કારક ગુરુ અને આત્માના કારક સૂર્યને મિત્ર ગ્રહો કહેવાયા છે. જ્યારે સૂર્ય ગુરુમાં આવે છે, ત્યારે આ સમય મનને આધ્યાત્મિક રીતે સિદ્ધ કરવાનો શ્રેષ્ઠ સમય છે.

I am Gujarat 10 Dec 2021, 3:30 pm
ખરમાસ ક્યારે શરૂ થશે અને ક્યાં સુધી રહેશે તે પ્રશ્ન તમારા મનમાં પણ ઉદ્ભવતો હશે. વાસ્તવમાં, જ્યોતિષશાસ્ત્રના નિયમમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ સૂર્ય ભ્રમણ કરતા કરતા ગુરુની રાશિ ધન અને મીન રાશિમાં પહોંચે છે, ત્યારે લગ્ન, જનોઈ, મુંડન જેવા તમામ શુભ કાર્યો એક મહિના માટે બંધ થઈ જાય છે. આ વર્ષે સૂર્ય 16મી ડિસેમ્બરે ધન રાશિમાં આવી રહ્યા છે, જેના કારણે 16મી ડિસેમ્બરથી ખરમાસ શરુ થશે અને 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસ સુધી ખરમાસ રહેશે.
I am Gujarat kharmas 2021 date importance of kharmas and how it is auspicious
ક્યારથી શરુ થઈ રહ્યો છે ખરમાસ? કમુરતાનો મહિનો પુણ્ય ભેગુ કરવા માટે છે શુભ


આ પરિસ્થિતિમાં લાગે છે ખરમાસ

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને સૂર્યને મિત્ર ગ્રહો કહેવામાં આવે છે. સૂર્ય આત્માનો કારક ગ્રહ છે અને ગુરુ ધર્મનો કારક ગ્રહ છે જેને ભગવાન વિષ્ણુના પ્રતિનિધિ માનવામાં આવે છે. તેથી, જ્યારે પણ સૂર્ય ગુરુની રાશિમાં આવે છે, ત્યારે આ સમય મનને સાંસારિક પ્રવૃત્તિઓથી હટાવવા અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ સમય છે.
વર્ષ 2022 માટે નોસ્ત્રાડેમસની મોટી ભવિષ્યવાણી, પરમાણુ બોમ્બ, ઉલ્કાપિંડ અને મોંઘવારી
ખરમાસમાં ભગવાન વિષ્ણુની પૂજાનું મહત્વ

ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે મહિનાઓ વિભાજિત થઈ રહ્યા હતા, ત્યારે ખરમાસ દુઃખી થઈ ગયો હતો કે લોકો તેને અશુભ માનશે. ત્યારે ભગવાન વિષ્ણુએ ખરમાસને સમજાવ્યું કે ખરમાસનો મહિનો પુરૂષોત્તમ માસ તરીકે પણ ઓળખાશે અને જે આ સમયે ભગવાન વિષ્ણુની ભક્તિભાવપૂર્વક પૂજા કરશે તેના પાપોનો નાશ થશે.

ખારમાસ અને અર્થવ્યવસ્થાનો સંબંધ

પ્રાચીનકાળથી ભારત વ્યવહારીક રીતે એક કૃષિપ્રધાન દેશ છે અને તેની અર્થવ્યવસ્થા મોટાભાગે ખેતી પર નિર્ભર છે. ખરમાસ એવા સમયે આવે છે જ્યારે લોકોનો એક પાક તૈયાર હોય છે અને તેને ઘરમાં લાવે છે અને બીજા પાકની તૈયારી કરે છે. તેથી, આ સમય દરમિયાન સાંસારિક કાર્યો કરવાથી કૃષિ કાર્યમાં વિક્ષેપ આવી શકે છે, જેના કારણે લોકો આ મહિનામાં દુન્યવી કાર્યો પર વિરામ મૂકીને ભવિષ્યની તૈયારી કરે છે, જેમાં ધન કમાવવાથી લઈને મોક્ષ પ્રાપ્તિની તૈયારીનો સમાવેશ થાય છે.
સાપ્તાહિક રાશિફળ 6થી 12 ડિસેમ્બરઃ મંગળ-બુધનું ગોચર 5 રાશિની કિસ્મત ચમકાવશે
ખરમાસમાં શુભ કાર્યો પર વિરામ છે

ખરમાસના અશુભ સમયને ધ્યાનમાં લઈએ તો શુભ કાર્યો પર વિરામ લાવવા પાછળ એક વ્યવહારુ કારણ એ પણ છે કે જ્યારે સૂર્ય ધન રાશિમાં આવે છે, ત્યારે સમગ્ર ઉત્તર ભારત શીત લહેરની લપેટમાં હોય છે. આવી સ્થિતિમાં સાંસારિક કાર્યો પૂર્ણ કરવા ખૂબ જ મુશ્કેલ છે. બીજી તરફ, સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પણ ઋતુનો સંક્રાંતિકાળ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારો નથી. તેથી, ધાર્મિક ગ્રંથોમાં ખરમાસ દરમિયાન સંયમ સાથે ભગવાનનું ધ્યાન કરવું શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે.

- ખરમાસની શરુઆત ધન સંક્રાંતિ એટલે કે 16 ડિસેમ્બર 2021થી શરૂ થાય છે.
- ખરમાસની સમાપ્તિ મકરસંક્રાંતિના રોજ એટલે કે 14 જાન્યુઆરી 2022 ના રોજ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો