Magh Purnima 2023 ્ોૂા : મહા મહિનાની પૂનમ પર કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે. મહા મહિનાની પૂનમ પાંચમી (Magh Purnima 2023 Importance) ફેબ્રુઆરીએ છે અને આ દિવસે રવિ પુષ્ય યોગ સહિત કેટલાક દુર્લભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગની વચ્ચે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈને તમારા ઘરમાં ધન વર્ષા કરે છે. પૂનમની તિથિ દર મહિનાની મહત્વપૂર્ણ હોય છે, પરંતુ મહાની પૂનમ પર સંગમમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ પુરાણોમાં કહેવામાં આવ્યું છે. આ દિવસે કયા દુર્લભ યોગ બની રહ્યા છે અને કયા ઉપાયોથી તમને સમૃદ્ધિ મળશે તે જાણો. હિંદું પંચાગ અનુસાર, પૂનમની તિથિની શરૂઆત 4 ફેબ્રુઆરીએ સાંજે 7.59 કલાકે થશે અને આ તિથિ 5મી ફેબ્રુઆરીએ રાતે 10.28 કલાકે સમાપ્ત થશે. તેથી, ઉદયા તિથિની માન્યતા અનુસાર પૂનમ પાંચમી ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. ગુરુના રાશિ પરિવર્તનથી શરૂ થશે મહાદશા, આ દરમિયાન ધનવાન બનવા કરો આ ઉપાયો
પૂનમ પર બન્યા આ દુર્લભ યોગ
ધાર્મિક દ્રષ્ટિથી મહા પૂનમ પર ગંગા સ્નાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી, આ વર્ષની મહાની પૂનમનું ધાર્મિક દ્રષ્ટિથી મહત્વ વધી ગયું છે. કારણ કે, આ દિવસે કેટલાક દુર્લભ શુભ યોગ એકસાથે બની રહ્યા છે. પૂનમ પર આશ્લેષા નક્ષત્રમાં ચંદ્ર, ગુરુ અને શનિ ત્રણે. ગ્રહ પોતાની રાશિમાં હાજર રહેશે. આ સાથે જ પૂનમ પર અતિ દુર્લભ રવિ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. રવિવારે જ્યારે પુષ્ય યોગ બને છે તેને રવિ પુષ્ય યોગ કહેવામાં આવે છે. આ વખતે પૂનમ રવિવારે છે. આ શુભ યોગમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયને શુભ ફળદાયી માનવામાં આવે છે. આ સાથે પૂનમ પર વાશી યોગ, આયુષ્માન યોગ, સુનફા યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ શુભ યોગમાં જે પણ કાર્ય કરવામાં આવે તેમા સફળતા મળે છે તેવી માન્યતા છે.
મકરમાં બુધના ગોચરથી પાંચ રાશિના લોકોને થશે જબરદસ્ત લાભ, દરેક કાર્યમાં મળશે સફળતા
પૂનમ પર રવિ પુષ્ય યોગમાં કરો આ ઉપાય
- રવિ પુષ્ય યોગમાં સોનું ખરીદવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદ્યા બાદ તેને ઘરમાં પૂજા સ્થાનમાં મા લક્ષ્મીને અર્પિત કરો. આમ કરવાથી મા લક્ષ્મી તમારા ધનમાં વધારો કરે છે અને તમને વધુ સોનું ખરીદવાની અન્ય તક પ્રાપ્ત થાય છે.
- રવિ પુષ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને તેમને પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ. પૂજા બાદ કાન્હાજીને બેસન અથવા બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. આ ઉપાય કરવાથી સંતાન પ્રાપ્તિમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને સાથે ધનમાં પણ વૃદ્ધિ થાય છે.
- પૂનમ પર ગંગાજળથી સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને દૂધ તેમજ ગંગાજળનો અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ શ્રીસૂક્ત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે.
- પૂનમ પર પીપળાના વૃક્ષની પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે. પૂનમના દિવસે પીપળાના વૃક્ષ પર દૂધ મિશ્રિત જળ ચડાવો અને ઘીનો દીવો કરો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે પિતૃગણોના પણ આશીર્વાદ મળે છે.
- પૂનમ પર બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવાથી કેટલાક જૂના રોગ દૂર થાય છે. આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલીને અમૃત વર્ષા કરે છે. આ કારણે નદીઓનું જળ અમૃત યુક્ત માનવામાં આવે છે અને તેમા સ્નાન કરવાથી તમે દરેક પાપમાંથી મુક્ત થાઓ છો અને તમામ રોગ પણ દૂર થાય છે.
Read latest Horoscope News and Gujarati News
પૂનમ પર બન્યા આ દુર્લભ યોગ
ધાર્મિક દ્રષ્ટિથી મહા પૂનમ પર ગંગા સ્નાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી, આ વર્ષની મહાની પૂનમનું ધાર્મિક દ્રષ્ટિથી મહત્વ વધી ગયું છે. કારણ કે, આ દિવસે કેટલાક દુર્લભ શુભ યોગ એકસાથે બની રહ્યા છે. પૂનમ પર આશ્લેષા નક્ષત્રમાં ચંદ્ર, ગુરુ અને શનિ ત્રણે. ગ્રહ પોતાની રાશિમાં હાજર રહેશે. આ સાથે જ પૂનમ પર અતિ દુર્લભ રવિ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. રવિવારે જ્યારે પુષ્ય યોગ બને છે તેને રવિ પુષ્ય યોગ કહેવામાં આવે છે. આ વખતે પૂનમ રવિવારે છે. આ શુભ યોગમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયને શુભ ફળદાયી માનવામાં આવે છે. આ સાથે પૂનમ પર વાશી યોગ, આયુષ્માન યોગ, સુનફા યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. આ શુભ યોગમાં જે પણ કાર્ય કરવામાં આવે તેમા સફળતા મળે છે તેવી માન્યતા છે.
મકરમાં બુધના ગોચરથી પાંચ રાશિના લોકોને થશે જબરદસ્ત લાભ, દરેક કાર્યમાં મળશે સફળતા
પૂનમ પર રવિ પુષ્ય યોગમાં કરો આ ઉપાય
- રવિ પુષ્ય યોગમાં સોનું ખરીદવાને શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું ખરીદ્યા બાદ તેને ઘરમાં પૂજા સ્થાનમાં મા લક્ષ્મીને અર્પિત કરો. આમ કરવાથી મા લક્ષ્મી તમારા ધનમાં વધારો કરે છે અને તમને વધુ સોનું ખરીદવાની અન્ય તક પ્રાપ્ત થાય છે.
- રવિ પુષ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને તેમને પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ. પૂજા બાદ કાન્હાજીને બેસન અથવા બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. આ ઉપાય કરવાથી સંતાન પ્રાપ્તિમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને સાથે ધનમાં પણ વૃદ્ધિ થાય છે.
- પૂનમ પર ગંગાજળથી સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને દૂધ તેમજ ગંગાજળનો અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ શ્રીસૂક્ત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહેશે.
- પૂનમ પર પીપળાના વૃક્ષની પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે. પૂનમના દિવસે પીપળાના વૃક્ષ પર દૂધ મિશ્રિત જળ ચડાવો અને ઘીનો દીવો કરો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની સાથે પિતૃગણોના પણ આશીર્વાદ મળે છે.
- પૂનમ પર બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવાથી કેટલાક જૂના રોગ દૂર થાય છે. આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલીને અમૃત વર્ષા કરે છે. આ કારણે નદીઓનું જળ અમૃત યુક્ત માનવામાં આવે છે અને તેમા સ્નાન કરવાથી તમે દરેક પાપમાંથી મુક્ત થાઓ છો અને તમામ રોગ પણ દૂર થાય છે.
Read latest Horoscope News and Gujarati News