એપશહેર

હનુમાનજીએ જણાવ્યાં સફળતાના સૂત્રો, ક્યારેય નહીં થાઓ નિરાશ

જીવનમાં મોટું કામ કરતા પહેલા ત્રણ ચીજ જરૂરી છે. એક- કામ શરૂ કરતા પહેલા ભગવાનનું નામ લેવું, બીજું- વડીલોને પ્રણામ કરી એમના આશીર્વાદ મેળવા અને ત્રીજું છે કામની શરૂઆત હંમેશા મુસ્કાન સાથે કરવી. ખુદ હનુમાનજીએ પણ લંકા જતા પહેલા આ ત્રણ કામ કર્યાં હતાં. સફળ થવાનું પહેલું સૂત્ર છે સક્રિયતા. હનુમાનજી હંમેશા સક્રિય રહેતા હતા.

Others 31 Jul 2018, 12:53 pm
જીવનમાં મોટું કામ કરતા પહેલા ત્રણ ચીજ જરૂરી છે. એક- કામ શરૂ કરતા પહેલા ભગવાનનું નામ લેવું, બીજું- વડીલોને પ્રણામ કરી એમના આશીર્વાદ મેળવા અને ત્રીજું છે કામની શરૂઆત હંમેશા મુસ્કાન સાથે કરવી. ખુદ હનુમાનજીએ પણ લંકા જતા પહેલા આ ત્રણ કામ કર્યાં હતાં. સફળ થવાનું પહેલું સૂત્ર છે સક્રિયતા. હનુમાનજી હંમેશા સક્રિય રહેતા હતા.
I am Gujarat mantras of success given by god hanuman
હનુમાનજીએ જણાવ્યાં સફળતાના સૂત્રો, ક્યારેય નહીં થાઓ નિરાશ


સફળતાનું બીજું સૂત્ર

સફળતાનું બીજું સૂત્ર છે સજાગતા. મનુષ્યએ હંમેશા સજાગ રહેવું જોઈએ. એ ત્યારે જ શક્ય છે જ્યારે તેનું લક્ષ્ય નિશ્ચિત હોય. જેનાથી ઉર્જા અને સમયનો સદઉપયોગ થાય છે. સ્વયં હનુમાનજીએ લંકાની યાત્રા દરમિયાન કેટલીય સમસ્યાઓનો સામનો કર્યો હતો. સૌથી પહેલા તેમણે મૈનાક પર્વત પાર કર્યો, જ્યાં ભોગ અને વિલાસની તમામ સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ હનુમાનજીએ મૈનાક પર્વતને માત્ર અડ્યો જ હતો.

સફળતાનું ત્રીજનું સૂત્ર

અન્ય વસ્તુઓ પર એમણે ધ્યાન નથી આપ્યું. બાદમાં હનુમાનજીને સુરસા નામની એક રાક્ષસી મળી હતી. જેને પાર કરવા માટે હનુમાનજીએ લઘુ રૂપ ધારણ કર્યું. હનુમાનજીનું આ લઘુ રૂપ આપણને જણાવે છે કે દુનિયામાં આગળ વધવું હોય અને મોટા થવું હોય તો નાનું પણ થવું પડશે. નાનું થવાનું તાત્પર્ય અહીં તમારાં કદ સાથે નથી, તમારી વિનમ્રતા સાથે છે. એટલે કે તમારે વિનમ્ર થવું પડશે.

સફળતાનું ચોથું સૂત્ર

સફળતાનું ચોથું સૂત્ર છે કે સક્ષમ થવું એટલે કે મનુષ્યને ત્યારે જ સફળતા મળે છે જ્યારે તે સક્ષમ હશે. સક્ષમ થવાનો અર્થ માત્ર શારીરિક રૂપે જ સક્ષમ થવા સાથે નથી, પણ તન, મન અને ધન ત્રણેયથી સક્ષમ થવાની વાત છે. જ્યારે આપણે આ ત્રણેય વસ્તુમાં પૂરી રીતે સક્ષમ થઈ જઈશું ત્યારે આપણે સફળતા પ્રાપ્ત કરી શકશું.

હનુમાનજીની પરિક્રમા

કળિયુગમાં હનુમાનજીની ભક્તિ તમામ મનોકામનાઓને તુરંત પૂર્ણ કરવા વાળી માનવામાં આવી છે. આ કારણે જ આજે તેમના ભક્તોની સંખ્યા વધુ છે. હનુમાનજી બહુ જલદી પોતાના ભક્તેના તમામ દુખોને દૂર કરીને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે. હનુમાનજીની પૂજામાં એક મહત્વપૂર્ણ ક્રિયા છે પરિક્રમા. સામાન્ય રીતે તમામ દેવ-દેવતાની એક જ પરિક્રમા કરવામાં આવે છે પરંતુ શાસ્ત્રો મુજબ વિવિધ દેવી-દેવતાઓ માટે પરિક્રમાની અલગ સંખ્યા નક્કી કરવામાં આવી છે.

પરિક્રમા સંબંધિત નિયમ

પરિક્રમા શરૂ કર્યા બાદ વચ્ચે અટકવું નહીં, પરિક્રમા ત્યાં જ ખતમ કરો જ્યાંથી શરૂ કરી હોય. ધ્યાન રાખવું કે પરિક્રમાની અધવચ્ચે ઉભા રહી જવાથી તે પૂર્ણ માનવામાં આવતી નથી. પરિક્રમા દરમિયાન કોઈ સાથે વાતચીત ન કરવી. જે દેવતાની પરિક્રમા કરી રહ્યા છે એમનું જ ધ્યાન ધરો. આવા પ્રકારે પરિક્રમા કરવાથી પૂર્ણ લાભ મળે છે.

મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા

આજ હનુમાનજીની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. તમામ શ્રદ્ધાળુઓને હનુમાનજીની પૂજા કરવી બહુ પસંદ હોય છે. આમની પૂજા કરવી જેટલી સહજ હોય છે એટલો જ સુખદ અહેસાસ અને જીવનમાં સફળતા આપનારી હોય છે. આમની પૂજા ગમે તે વાર કે સમયે કરી શકાય છે પરંતુ એવું માનવામાં આવે છે કે હનુમાનજીની મંગળવારે કરેલી પૂજા વિશેષ ફળ આપે છે.

હનુમાનજી આપી શકે યશ અને લક્ષ્મી

આપણી મનુષ્યોની મોટી માંગ ઐશ્વર્ય પ્રાપ્તિની હોય છે. કુલ 6 પ્રકારના ઐશ્વર્યા જણાવવામાં આવ્યા છે-ધર્મ, અર્થ, જ્ઞાન, યશ, શ્રી અને વૈરાગ્ય. શ્રી રામે યશ અને લક્ષ્મી બંને હનુમાનજીને આપ્યાં છે તથા આપણે યશ અને લક્ષ્મી હનુમાનજી જ આપી શકે છે.

હનુમાનજીને સિંદૂર અને ચોલો કેમ ચઢાવાય?

શ્રી રામના પરમભક્ત હનુમાનજી આજે તમામ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. હનુમાનજીને માતા સીતા દ્વારા અમરતાનું વરદાન પ્રાપ્ત થયું છે. એવું કહેવાય છે કે જ્યાં પણ વિધિ-વિધાનથી સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે ત્યાં હનુમાનજી જરૂર પધારે છે. તેઓ પોતાના ભક્તોની પરેશાની બહુ જલદી દૂર કરી દેતા હોય છે. જ્યારે ભક્તની પરેશાની દૂર થઈ જાતી હોય છે ત્યારે કેટલાય શ્રદ્ધાળુઓ બજરંગબલીને સિંદૂર અને ચોલો ચઢાવે છે.

હનુમાન ચાલીસાના 40 દોહા

ચાલીસ ચોપાઈ આપણા જીવનની સંપૂર્ણતાનું પ્રતિક છે, એમની સંખ્યા 40 એટલા માટે નિર્ધારિત કરવામાં આવે છે કેમ કે મનુષ્ય જીવન 24 તત્વોથી નિર્મિત છે અને સંપૂર્ણ જીવનકાળમાં આના માટે કુલ 16 સંસ્કાર નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ બંનેનો યોગ 40 હોય છે. આ 24 તત્વોમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, 5 તન્માત્રા, 4 અંતઃ કરણ સામેલ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો