એપશહેર

બસ આટલું કરો, ઘેર બેઠા થશે શિરડી સાંઈ બાબાનો સાક્ષાત્કાર ?

સાંઈબાબા તેમના ભક્તો પર વિશેષ કૃપા વરસાવતા હોય છે. જો તમે સાચા મનથી પ્રાર્થના કરો તો તે તમારી વાત સાંભળે છે. આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમે સીધા જ સાંઈબાબા સાથે જોડાઈ શકશો

I am Gujarat 27 May 2019, 11:47 am
સાંઈબાબાના પ્રખર ભક્તોને ખ્યાલ જ છે કે ભક્તો માટે સાંઈબાબા હાજરાહાજૂર છે. આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમે સીધા જ સાંઈબાબા સાથે જોડાઈ શકશો. આ માટે તમારે શિરડી પણ જવાની જરૂર નથી, ઘેર બેઠા તમને સાંઈબાબાનો સાક્ષાત્કાર થશે અને સારા પરિણામ મળશે
I am Gujarat method to connect yourself with sai baba sitting at home
બસ આટલું કરો, ઘેર બેઠા થશે શિરડી સાંઈ બાબાનો સાક્ષાત્કાર ?


સ્ટેપ 1

પહેલા શાંતિ અને એકાંતમાં થોડો સમય વીતાવો. પ્રાણાયામ કરો, જેથી મગજ શાંત થાય. પછી આંખો બંધ કરી કલ્પના કરો કે તમે દ્વારકામાઈના પગથિયા ચડી રહ્યા છો અને ત્યાં બાબાને ફૂલ અને દક્ષિણા ચડાવી રહ્યા છો. જેટલી સ્પષ્ટ કલ્પના કરી શકો એટલી કરો. જેમ કે સાથે સાથે દ્વારકામાઈના ઘંટ, ચૂલો, ભાતનું તપેલુ વગેરેની પણ કલ્પના કરો.

સ્ટેપ 2

કલ્પના કરો કે તમે બાબાની સામે બેઠા છો, તમારી સમસ્યા કે પછી જે પણ વાત તમારે બાબા સાથે કરવી છે તેની ચર્ચા કરી રહ્યા છો. કલ્પના કરો કે બાબા તમારી સાથે વાત કરી રહ્યા છે. વાતચીતના અંતે તમે બાબને નમસ્કાર કરી રહ્યા છો અને બાબા તમને ઉદી આપી રહ્યા છે.

અનુભવઃ

આ મેડિટેશનની એક રીત છે. આમ કરવાથી તમે બાબા સાથે ઘેરબેઠા જોડાયા હોવાની લાગણી થશે. તમે અગાઉ કરતા વધુ ગહેરાઈથી બાબા સાથે જોડાઈ શકશો. ઘણીવાર બાબા સાથેની વાતચીત કે સવાલ જવામાં તમને જીવનની સાચી દિશા મળી જશે. આ પ્રેક્ટિસ કરનારાઓના અનુભવ છે કે બાબા એવી ચીજો કહે છે જે ભવિષ્યમાં તમારા ભલાઈ માટે હોય છે. સાંઈ બાબાના ભક્તોએ બાબા સાથે વાતચીતથી જોડાવાની કોશિશ જરૂર કરવી જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો