એપશહેર

પહાડોની વચ્ચે આવેલું છે સંજીવની હનુમાનજીનું મંદિર, ભારતીય સેના કરે છે દેખરેખ

I am Gujarat 21 Dec 2019, 9:21 pm
હિમાચલ પ્રદેશના રમણીય-પર્યટક સ્થળ કસૌલીમાં આવેલા સોલન નામના ગામમાં મંકી પોઈન્ટ નામની એક જગ્યા આવેલી છે. મંકી પોઈન્ટ નામની આ જગ્યા હનુમાન દાદાને સમર્પિત છે. આપણે જાણીએ છીએ કે લંકામાં રામ-રાવણના યુદ્ધ દરમિયાન લક્ષ્મણ ઘાયલ થયા હતા ત્યારે હનુમાનજીને ઉપચાર માટેની સંજીવની જડીબુટ્ટી લાવવા માટે હિમાલય મોકલવામાં આવ્યા હતા. સંજીવની જડીબુટ્ટીની જગ્યાએ હનુમાનજી આખો હિમાલય પહાડ ઉઠાવી લાવ્યા હતા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો એવી માન્યતા છે કે સંજીવની જડીબુટ્ટી માટેનો હિમાલય પહાડ લઈને આવતી વખતે હનુમાનજીનો જમણો પગ હિમાચલ પ્રદેશના કસૌલીમાં આવેલા આ ઊંચા પહાડ પર પડ્યો હતો. આ સ્થાન પર હવે સંજીવની હનુમાનજીનું મંદિર છે. આ મંદિરમાં વાંદરાઓની ટોળી મસ્તી કરતી જોવા મળે છે. પહાડ પર બનેલા આ મંદિરમાં કુદરતી દ્રશ્યનો અદ્ભુત નજારો જોવા મળે છે.
આ મંદિરની એકબાજુ શિમલા જેવા પર્યટક સ્થળના પહાડની ચોટી જોવા મળે છે. તો બીજી બાજુ ચંડીગઢ વગેરેના રમણીય દ્રશ્યો જોવા મળે છે. મંકી પોઈન્ટની દર વર્ષે દેશ-વિદેશના પર્યટકો મુલાકાત લેવા આવે છે.
આ મંદિરમાં હનુમાનજીની એક મૂર્તિ છે જેમાં તેઓ સંજીવની પર્વત સાથે જોવા મળી રહ્યા છે અને તેમના બીજા હાથમાં ગદા જોવા મળી રહી છે. આ મંદિરમાં એક શિવલિંગ પણ છે. આ મંદિર એરફોર્સના ક્ષેત્રમાં આવેલું છે, માટે તેનું સંચાલન પણ સેના કરે છે. આ મંદિરમાં દર્શન કરવા માટે સાથે ઓળખપત્ર હોવું જરૂરી છે. આ મંદિરમાં મોબાઈલ ફોન અને કેમેરા પર પ્રતિબંધ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો