એપશહેર

આ છે હનુમાનજીના 6 પ્રાચીન મંદિર, દર્શન કરનારના ધોવાઈ જાય છે પાપ

Arjun Parmar | I am Gujarat 14 Oct 2017, 2:53 pm
I am Gujarat must visit 6 temples of hanumanji
આ છે હનુમાનજીના 6 પ્રાચીન મંદિર, દર્શન કરનારના ધોવાઈ જાય છે પાપ


હનુમાનજીના ચમત્કારિક મંદિર

ઘણાં લોકો શનિદોષ શાંત કરવા, પાપ નિવારણ, સમસ્યા નિવારણ માટે હનુમાનજીના મંદિરે જતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીના કેટલાંક એવા પણ મંદિરો છે જ્યાં કરેલી દરેક પ્રાર્થના સફળ નીવડે છે. આવો જાણીએ આવા જ કેટલાંક મંદિરો વિશે…

કનૉટ પેલેસ

અહીં મહાભારત કાલીન શ્રી હનુમાનજીનો એક પ્રાચીન મંદિર છે. અહીં ઉપસ્થિત હનુમાનજી સ્વયંભૂ છે. બાલચન્દ્ર અંકિત શિખરવાળો આ મંદિર આસ્થાનો મહાન કેન્દ્ર છે. દિલ્હીનું ઐતિહાસિક નામ ઈંદ્રપ્રસ્થ શહર છે. જે યમુના નદીના તટ પર પાંડવો દ્વારા મહાભારત-કાળમાં વસાવવામાં આવ્યું હતું.

સાલાસર બાલાજી હનુમાન મંદિર, રાજસ્થાન

હનુમાનજીનો આ મંદિર રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં છે. ગામનું નામ સાલાસર હોવાને કારણે તેમને સાલાસરવાળા બાલાજીના નામથી આ મંદિર પ્રસિદ્ધ છે. હનુમાનજીની આ પ્રતિમામાં દાઢી અને મૂછ પણ છે. માનવામાં આવે છે કે હનુમાનજીની આ પ્રતિમા એક ખેડૂતને જમીન ખેડતા સમયે મળી હતી. જેને સાલાસરમાં સોનાના સિંહાસન પર સ્થાપિત કરાયેલ છે.

શ્રી સંકટમોચન મંદિર, વારાણસી

આ મંદિરની એવી માન્યતા છે કે હનુમાનજીની આ મૂર્તિ ગોસ્વામી તુલસીદાસજીના તપ અને પુણ્યથી પ્રગટ થઈ છે. આ મૂર્તિમાં હનુમાનજી જમણા હાથમાં ભક્તોને અભયદાન કરી રહ્યા છે અને ડાબું હાથ તેમના હૃદય પર મૂકેલું છે. શ્રી સંકટમોચન હનુમાન મંદિર પાસે જ ભગવાન શ્રી નૃસિંહનું મંદિર પણ છે.

હનુમાનજી મંદિર, અલાહાબાદ

અલાહાબાદ કિલ્લાની પાસે આવેલ આ મંદિરમાં ચતા સૂઈ ગયેલા હનુમાનજીની પ્રતિમાવાળું મંદિર છે. જે ભારતનું એકમાત્ર એવું મંદિર છે જેમાં હનુમાનજીની આવી મૂર્તિ છે. જે 20 ફૂટ લાંબી છે.

શ્રી બાલા હનુમાન મંદિર, જામનગર, ગુજરાત

વર્ષ 1540માં જામનગરની સ્થાપના સાથે જ સ્થાપિત આ મંદિર ગુજરાતનું ગૌરવ માનવામાં આવે છે. અહીં વર્ષ 1964થી સતત શ્રીરામ ધુનીનો જાપ ચાલી રહ્યો છે. જે કારણે આ મંદિરનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સામેલ છે.

હનુમાનગઢી, અયોધ્યા

અહીંનું સૌથી પ્રમુખ શ્રી હનુમાન મંદિર હનુમાનગઢીના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર રાજદ્વારની સામે ઉંચી ટેકરી પર બનેલું છે. જે કારણે આ મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ 70 સીડીઓ ચઢવી પડે છે. આ મંદિર ભવ્ય છે. જેની આસપાસ સાધુ-સંતો રહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો