એપશહેર

મહિલાઓએ રાતે ન ઓળવવા જોઇએ વાળ, થઇ શકે છે મુશ્કેલી

Gaurang Joshi | I am Gujarat 20 Feb 2018, 4:56 pm
I am Gujarat myths about womens hair
મહિલાઓએ રાતે ન ઓળવવા જોઇએ વાળ, થઇ શકે છે મુશ્કેલી


સુંદરતાની નિશાની છે મહિલાઓના વાળ

વાળ મહિલાઓના શૃંગાર હોય છે. જે તેમની સુંદરતા વધારે છે. વાળને લઇને શાસ્ત્રમાં અનેક પ્રકારની ધારણાઓ છે. શાસ્ત્રો અનુસાર મહિલાઓને પોતાના વાળ બાંધીને રાખવા જોઇએ. ખુલ્લા વાળ રાખવા એ શોકની નિશાની માનવામાં આવે છે. રાતે પણ વાળ ઓળવવા અશુભ માનવામાં આવે છે. મંદિરમાં વાળ ખોલીને જવું અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ મહિલાના વાળ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…

મહિલાઓએ રાતે ન ઓળવવા જોઇએ વાળ

શાસ્ત્રમાં સૂર્યાસ્ત પછી વાળ ઓળવવા અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ખરાબ આત્મા ફરે છે. જે મહિલાઓ વાળ ખુલ્લા રાખે છે. તેઓ આ આત્માનો શિકાર બને છે. આથી જ એવું કહેવાયું કે મહિલાઓએ રાતે વાળ ઓળવવા ન જોઇએ.

અશુભ મનાય છે ખુલ્લા વાળ રાખી સૂવું

રાતે વાળ ખુલ્લા રાખીને સૂવું એ મુશ્કેલીને આમંત્રણ આપવા જેવું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મહિલાઓને રાતે સૂતાં સમયે ચોટલો બાંધીને સૂવું જોઇએ. રાતે વાળ ખુલ્લા રાખીને સૂવું એ પરિવાર માટે અશુભ માનવામાં આવે છે.

રાતે બહાર ન ફેંકવા જોઇએ વાળ

મહિલાઓને પોતાના તૂટેલા અને વિખરાયેલા વાળને રાતે બહાર ન ફેંકવા જોઇએ. એવું કહેવાય છે કે કોઇ ખરાબ વ્યક્તિના હાથમાં આ વાળ આવી જાય તો તેનો પ્રયોગ કોઇ જાદૂટોણામાં પણ કરી શકે છે. આથી તમારા વાળને દિવસમાં એકઠા કરીને સાચી જગ્યાએ જ ફેકવા જોઇએ.

માસિક ધર્મ દરમિયાન

શાસ્ત્ર અનુસાર પૂનમની રાતે વાળ ઓળવવું એ ખરાબ આત્માઓને આમંત્રણ આપવા જેવું છે. મહિલાઓને માસિક ધર્મ દરમિયાન વાળ શેમ્પૂ ન કરવા જોઇએ. એવું કહેવાય છે કે આવું કરવાથી શારીરિક સમસ્યા વધી શકે છે.

..તો મળી શકે છે અશુભ સમાચાર

જો વાળ ઓળવતા સમયે તમારા હાથમાંથી દાંતિયો પડી જાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આવું થવા પર ટૂંક સમયમાં જ કોઇ અશુભ સમાચાર મળી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો