એપશહેર

ચમત્કાર! અહીં એક દિવસ માટે મા ભવાનીની મૂર્તિની ગરદન થઈ જાય છે સીધી

Gaurang Joshi | TNN 11 Jul 2020, 4:14 pm
I am Gujarat oldest and mysterious goddess kankali devi temple of raisen
ચમત્કાર! અહીં એક દિવસ માટે મા ભવાનીની મૂર્તિની ગરદન થઈ જાય છે સીધી


જાણો શું છે મંદિરનું રહસ્ય?

માતા ભવાનીનો મહિમા આજસુધી કોઈ જ સમજી શક્યું નથી. ભારતના અલગ અલગ સ્થાનો પર દેવીમાતાના અલગ રુપમાં અનેક ચમત્કાર જોવા મળે છે. ક્યારેક મંદિરમાં દેવીની મૂર્તિઓનો ચમત્કાર તો ક્યારેક મંદિરમાં રંગ બદલતી મૂર્તિનો ચમત્કાર. જે રહસ્ય પરથી ક્યારેય પડદો ઉઠ્યો નથી. આવું જ એક મંદિર છે કંકાલી મંદિર, જ્યાં માતાની મૂર્તિની આડી ગરદન એક દિવસ માટે સીધી થઈ જાય છે. આવો જાણીએ ક્યાં છે આ મંદિર અને શું છે ગરદન સીધી થવાનું રહસ્ય!

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રાયસેનના આ ગામમાં છે માતાનું મંદિર

કંકાલી માતા મંદિર રાયસેન જિલ્લાના ગુદાવલ ગામમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે માતા કાળીની દેશની આવી પહેલી મૂર્તિ છે. જેની ગરદન 45 ડિગ્રી ઝૂકેલી છે. મંદિરની સ્થાપના આશરે 1731ની આસપાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તે જ વર્ષે ખોદકામ દરમિયાન આ મંદિર મળ્યું હતું. જોકે, મંદિર ક્યારે અસ્તિત્વમાં આવ્યું તેની તારીખ અથવા તો વર્ષનું કોઈ જ સટીક પ્રમાણ નથી મળતું.

મંદિરની સ્થાપનાને લઈને આવી છે માન્યતા

મંદિરની સ્થાપનાને લઈને એવી પણ માન્યતા છે કે સ્થાનિક નિવાસી હર લાલ મેડાને આ વિશે સપનું આવ્યું હતું. જે પછી તેમણે સપનાના આધારે જમીન ખોદાવી તો દેવીમાતાની મૂર્તિ મળી હતી. જે પછી પ્રાપ્ત મૂર્તિ સ્થાન પર જ દેવી માતાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે મંદિરના અંદરના ભાગમાં દસ હજાર વર્ગફૂટના એરિયામાં એકપણ પિલર નથી. જે અદ્ભૂત કલાનો નમૂનો છે.

છાણના ઉલ્ટા-સીધા નિશાન

મંદિરને લઈને એવી પણ માન્યતા છે કે જે પણ ભક્ત અહીં બંધન બાંધીને મનોકામના માગે છે તેની મુરાદ જરુર પૂરી થાય છે. દેશના ખૂણેખૂણેથી લોકો પોતાની માનતા પૂરી કરવા આવે છે. નિઃસંતાન દંપત્તિઓની પણ અહીં ઝોળી ભરાય છે. જોકે, આ માટે મહિલાઓ ઉંધા હાથથી છાણ લગાવે છે. જ્યારે મનોકામના પૂરી થઈ જાય પછી સીધા નિશાન બનાવે છે.

આ દિવસે માતાની ગરદન થઈ જાય છે સીધી

કંકાલી દેવી માતા મંદિરમાં સ્થાપિત મૂર્તિની આડી ગરદન દશેરાના દિવસે સીધી થઈ જાય છે. જોકે, આજ સુધી આ ચમત્કાર કેવી રીતે થઈ રહ્યો છે. તેની કોઈને ખબર પડી નથી. એવું કહેવાય છે કે જે પણ ભક્ત માતાની સીધી ગરદનના દર્શન કરી લે છે તેના જીવનભરના દરેક કષ્ટ દુર થઈ જાય છે. માન્યતા છે કે જે ભાગ્યશાળી હોય તેવા ભક્તોને જ માતાની સીધી ગરદનવાળી મૂર્તિના દર્શન થાય છે. નવરાત્રી પર માં ભવાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓનો મોટો કાફલો ઉમટી પડે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો