એપશહેર

તમારી પ્રગતિમાં અડચણ બને છે આ ચીજો, આજે જ દૂર કરો

I am Gujarat 31 Oct 2019, 1:00 pm
જ્યારે અવારનવાર પ્રયત્ન કરવા છતાંય વ્યક્તિને સફળતા ન મળે તો આનું કારણ કોઈ વાસ્તુદોષ હોય છે. ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને અડચણ, બીમારી અને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તમે નાના અમથા ફેરફાર કરીને દુર્ભાગ્યથી પીછો છોડાવી શકો છો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો– ઘરની અંદર ક્યારેય પણ બોન્સાઈ અને કાંટાળા છોડ ન લગાવવા જોઈએ. તેનાથી ઘરનું વાસ્તુ બગડે છે અને ઘરમાં નાકારાત્મક ઉર્જા ફેલાય છે.-ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં ક્યારેય પણ ભારે મૂર્તિ ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.-પલંગ નીચે ક્યારેય બૂટ-ચપ્પલ ન રાખવા જોઈએ. આનાથી રોગ અને માનસિક તકલીફોને નોતરુ મળે છે.-દેવી દેવતાઓની ખંડિત મૂર્તિને ઘરમાં ન રાખવી જોઈએ.-બંધ અને તૂટેલી ફૂટેલી ઘડિયાળ ઘરમાં રાખવાથી પોઝિટિવ એનર્જી ઓછી થઈ જાય છે અને નેગેટિવિટી વધવા માંડે છે.-ઘરમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં અંધારુ ન હોવું જોઈએ. તેનો સીધો સંબંધ પૈસા અને તરક્કી સાથે છે.-પૂજા અને દાન માટે ઘરમાં લાવેલી વસ્તુઓને વધુ દિવસ સુધી ઘરમાં ન રાખવી જોઈએ.ધીરે-ધીરે તમારા પૈસા ખાઈ રહ્યા છે આ વાસ્તુ દોષ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો