એપશહેર

હનુમાન ચાલીસા કરતી વખતે ક્યારેય પણ ન કરતા આવી ભૂલ

માત્ર હનુમાન જયંતીના દિવસે જ નહીં પણ હનુમાન ભક્તો કાયમ હનુમાનજીને ખુશ કરવા માટે હનુમાન ચાલિસા કરે છે. હનુમાનજીની મંગળવારે અને શનિવારે ખાસ પૂજા કરવી જોઈએ. મહિલાઓ પણ મંગળવારના દિવસે હનુમાન ચાલિસાના પાઠ કરી શકે છે. હનુમાનજીના આશીર્વાદ માટે તેમની યોગ્ય રીતે પૂજા કરવી પણ અનિવાર્ય છે. પૂજા કરવાની યોગ્ય રીત ખબર હશે તો તેનાથી અવશ્ય ફાયદો થશે.

I am Gujarat 19 Apr 2019, 9:06 pm
I am Gujarat rules of reading of hanuman chalisa
હનુમાન ચાલીસા કરતી વખતે ક્યારેય પણ ન કરતા આવી ભૂલ
માત્ર હનુમાન જયંતીના દિવસે જ નહીં પણ હનુમાન ભક્તો કાયમ હનુમાનજીને ખુશ કરવા માટે હનુમાન ચાલિસા કરે છે. હનુમાનજીની મંગળવારે અને શનિવારે ખાસ પૂજા કરવી જોઈએ. મહિલાઓ પણ મંગળવારના દિવસે હનુમાન ચાલિસાના પાઠ કરી શકે છે. હનુમાનજીના આશીર્વાદ માટે તેમની યોગ્ય રીતે પૂજા કરવી પણ અનિવાર્ય છે. પૂજા કરવાની યોગ્ય રીત ખબર હશે તો તેનાથી અવશ્ય ફાયદો થશે.

શું છે પૂજાના નિયમો?

હનુમાન ચાલિસા ક્યારેય મનમાં બોલવાને બદલે મોટેથી બોલવી જોઈએ. આ ઉપરાંત તેના ઉચ્ચારણ પણ સ્પષ્ટ બોલવા જોઈએ. ક્યારેક ઉતાવડમાં અનેક શબ્દો ખોટા બોલાઈ જતા હોય છે. જે યોગ્ય નથી. શાંતિથી કોઈ સ્થળ પર બેસીને પણ હનુમાન ચાલીસા બોલી શકાય છે. જેથી મન પણ શાંત થાય છે અને વ્યવસ્થિત રીતે બોલાય પણ છે.

દિવસમાં ત્રણ વખત પાઠ

દિવસમાં ત્રણ વખત હનુમાન ચાલિસા કરવા જોઈએ.પહેલા સવારે સ્નાન કરીને અને નવા કપડાં પહેરીને પાઠ કરવા જોઈએ. ત્યાર બાદ બપોરે અને રાત્રે હનુમાન ચાલિસા કરવા જોઈએ. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા પણ હનુમાન ચાલિસાના પાઠ કરવા જોઈએ. મહિલાઓએ હનુમાનજીનો ઉપવાસ ન કરવો જોઈએ. કારણ કે પીરિયડ્સને કારણે તે મંગળવારે ઉપવાસ ન કરી શકે તો વ્રત ખંડિત થઈ જાય છે. તેથી મહિલાઓએ માત્ર હનુમાન ચાલિસાના પાઠ કરવા જોઈએ.

મહિલાઓ અડી ન શકે

હનુમાનજી બ્રહ્મચારી છે. તેથી મહિલાઓ તેને અડી શકતી નથી. વસ્ત્ર ચઢાવી શકતી નથી અને સ્નાન પણ કરાવી શકતી નથી. પણ પાણી ચડાવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. તેથી હનુમાન ચાલિસાના પાઠ કરતા પહેલા કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ. અને પાઠ પૂરા થયા બાદ તેની પ્રસાદી લેવી જોઈએ.

પીપળાના વૃક્ષ નીચે પૂજા કરવી જોઈએ

સામાન્ય રીતે પીપળાના વૃક્ષ નીચે બેસીને હનુમાન ચાલિસાના પાઠ કરવા જોઈએ. ઘરની નજીક પીપળાનું વૃક્ષ હોય તો તેની છાયામાં પણ હનુમાન ચાલિસાના પાઠ કરવા જોઈએ. કહેવાય છએ કે, શનિદેવ અને લક્ષ્મીને પીપળો પ્રિય છે. પીપળાના વૃક્ષ નીચે પૂજા કરવાથી લક્ષ્મીની કૃપા થાય છે અને શનિદેવના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

લાલ રંગના વસ્ત્રો

હનુમાન ચાલિસાના પાઠ કરતી વખતે લાલ રંગનું વસ્ત્ર પહેરવું જોઈએ. આ ઉપરાંત પ્રસાદમાં બુંદી ધરવામાં આવે છે. મહિલાઓ ધ્યાન રાખે કે હનુમાનજીને પ્રણામ કરતી વખતે માથું નીચે ન કરવું જોઈએ. કારણ કે હનુમાનજી તમામ મહિલાઓને મા તરીકે જુવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો