Saibaba Made These Promises To His Devotees During His Life
સાંઈબાબાએ તેમના ભક્તોને આપ્યા હતા આ પાંચ વચન, જે આજે પણ બાબા પાળે છે
સાંઈબાબાએ તેમના ભક્તોને પાંચ અમૂલ્ય વન આપ્યા હતા જેનું પાલન આજની તારીખે બાબા કરે છે. બાબાએ કહ્યું હતું- મારા ભક્તોનું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે. જે પણ મારી અડગ શ્રદ્ધાથી ભક્તિ કરશે, હું તેમને સાચવીશ. જો તમે મને 1 રૂપિયો આપશો, હું તમને 10 રૂપિયા પાછા આપીશ (અર્થાત્ દસ ગણુ વધારે ફળ આપીશ). હું મારા ભક્તોની તકલીફોનું ધ્યાન રાખીશ અને તેમની પીડા પોતે લઈ લઈશ.
I am Gujarat10 Jan 2019, 5:00 pm
સાંઈબાબાએ તેમના ભક્તોને પાંચ અમૂલ્ય વન આપ્યા હતા જેનું પાલન આજની તારીખે બાબા કરે છે. બાબાએ કહ્યું હતું- મારા ભક્તોનું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે. જે પણ મારી અડગ શ્રદ્ધાથી ભક્તિ કરશે, હું તેમને સાચવીશ. જો તમે મને 1 રૂપિયો આપશો, હું તમને 10 રૂપિયા પાછા આપીશ (અર્થાત્ દસ ગણુ વધારે ફળ આપીશ). હું મારા ભક્તોની તકલીફોનું ધ્યાન રાખીશ અને તેમની પીડા પોતે લઈ લઈશ.
શિરડી આવનારાઓના દુ:ખ નાશ પામશે
બાબાએ જણાવ્યું, જે પણ ભક્ત શિરડીની ભૂમિ પર પગ મૂકશે, તેની પીડાનો અંત આવી જશે. દુ:ખી અને બિચારા લોકો પણ મારી સમાધિના પગથિયા ચડતા સાથે જ અહીંથી ખુશી લઈને જશે. મારી સમાધિ મારા બધા જ ભક્તોને આશીર્વાદ અને તેમની પ્રાર્થનાનો જવાબ આપતી રહેશે. હું મારો દેહ છોડ્યા પછી પણ ભક્તો વચ્ચે સક્રિય રહીશ. તમે મારા પર છોડી દેશો તો હું તે ચોક્કસ પાર પાડીશ.
જે મારી મદદ માંગશે…
જે મારી મદદ કે સલાહ માંગશે, તેને હું માર્ગદર્શન આપીશ. મારા ભક્તોના ઘરમાં કોઈ ચીજની કમી નહિ રહે. જો કોઈ મારુ નામ શ્રદ્ધાથી બોલશે તો હું તેની બધી જ ઈચ્છા પૂરી કરીશ અને તેની ભક્તિમાં વધારો કરીશ. જો તે મારા જીવન અને કર્મની વાતનો પ્રચાર કરશે તો હું તમામ સંજોગોમાં તેના પડખે ઊભો રહીશ.
મોતના મુખમાંથી પણ ઉગારી લે છે બાબા
જે ભક્તોના હૃદય અને અંતરાત્મામાં મારો વાસ છે તેમને મારી આ કથા સાંભળીને અલૌકિક આનંદ અને સંતોષની અનુભૂતિ થશે. જે મારા શરણે આવે છે તેને હું મુક્ત કરુ છું. જે મારુ શ્રદ્ધાથી નામ લે છે, મને યાદ કરે છે, રોજ મારા નામનો જાપ કરે છે, તેને હું મોતના મુખમાંથી પણ ઉગારી લઉં છુ.
સાઈ લીલાનું ચિંતન કરે તેને…
જે મારી લીલા સાંભળશે તેના બધા રોગ દૂર થશે. આથી મારા ભક્તોએ મારી લીલાને શ્રદ્ધાપૂર્વક સાંભળવી અને ચિંતન કરવું. તેનાથી તેમને અલૌકિક આનંદ અને સંતોષ મળશે. મારા ભક્તોના અહંકારનો નાશ થશે. તેને સાંભળનારાઓના હૃદય શ્રદ્ધાથી ભરાઈ જશે.
તેમના માટે બધા સમાન હતા
સાંઈબાબાએ ક્યારેય ધર્મ કે જાતિના નામે કોઈનામાં ભેદભાવ કર્યો નહતો. તેમનો સંદેશ હિન્દુ અને ઈસ્લામ બંને ધર્મોને સ્પર્શે છે. તે જે મસ્જિદમાં રહ્યા તેને તેમણે હિન્દુ નામ દ્વારકામાઈ આપ્યું. તેમણે જે બંને ધર્મનું એક સમાન સન્માન કરતા હતા.
આવી હતી તેમના શબ્દોની તાકાત
શિરડીના સાંઈબાબાનું વ્યક્તિત્વ એવુ હતુ કે તેમને મળનાર દરેક વ્યક્તિ તેમનાથી અભિભૂત થઈ જતા હતા. તે સાવ સાદા શબ્દોમાં તેમના ભક્તોને જીવનના ગૂઢ રહસ્યો સમજાવી દેતા હતા.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.