એપશહેર

ઘરેથી ભાગેલા પ્રેમીઓને આ મંદિરમાં મળે છે આશરો

Hitesh Mori | I am Gujarat 27 Jul 2017, 7:14 pm
I am Gujarat sangchul mahadev mandir in kullu where lovers can stay without fear
ઘરેથી ભાગેલા પ્રેમીઓને આ મંદિરમાં મળે છે આશરો


અનોખી માન્યતા

ભારત એક અદભુત દેશ છે, અહીં પરંપરાઓ અને માન્યતાઓને ખાસ મહત્વ આપવામાં આવે છે. તેની વિવિધતાનો અંદાજ આ વાત પણથી લગાવી શકાય છે કે દેશના અલગ અલગ ભાગમાં રહેનારા લોકોની સાંસ્કૃતિક માન્યતાઓ એટલી અલગ છે.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ એ ભારતનું સૌથી સુંદર રાજ્ય છે સાથે સાથે અહીંના લોકના રીત-રિવાજ અને માન્યતાઓ પણ ખુબ જ અલગ છે. અહીંના કુલ્લૂ(હિમાચલ પ્રગેશ)ના શાંઘડ ગામમાં ભગવાન શિવનું એવું મંદિર આવેલું છે જ્યાં પ્રેમીઓને ખાસ કરીને જે લોકો ઘરેથી ભાગ્યા હોય તેવા લોકોને આશ્રય આપવામાં આવે છે.

શંઘચુલ મહાદેવ

મંદિર અંગે વધુ જાણકારી આપીએ તે પહેલા જાણી લો કે આ ગામમાં ઘણા સ્થળો છે જેનો સંબંધ પાંડવ કાળ સાથે છે. શિવ જી સમર્પિત આ શંઘચુલ મહાદેવ મંદિર પણ પાંડવોના સમયનું છે.

સૌથી મોટી વિશેષતા

મહાદેવના આ મંદિરની સૌથી મોટી વિશેષતાએ છે કે જો કોઈ પ્રેમી લગ્ન કરવા માટે ઘરેથી ભાગીને આવે છે, તેઓ જ્યાં સુધી આ મંદિર પરીસરમાં રહે છે ત્યાં સુધી તેમનો કોઈ પકડી શકતું નથી.

ઘરેથી ભાગેલા પ્રેમીઓ

ભાગેલા પ્રેમીઓના પરિવારજનો, તેમના માતા-પિતા કેટલા પણ ગુસ્સે હોય તો પણ તેઓ અહીં કઈ કરી શકતા નથી. આ મંદિરનું પરીસર 100 વિધામાં છે. મંદિર પરીસરમાં પહોંચતા પ્રેમી પંખીડા સુરક્ષિત થઈ જાય છે. તેમને મહાદેવની શરણમાં આવેલા માની લેવામાં આવે છે.

માન્યતા અને વિરાસત

અહીંના લોકો પોતાની માન્યતા અને વિરાસત માટે ખુબ કઠોર માનવમાં આવે છે. એટલા માટે આજે પણ પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ છે. સાથે અહીં દારૂ, અન્ય કોઈ માદક પદાર્થ અને ચામડાનો સામાન લાવવા પર પ્રતિબંધ છે. અહીં કોઈ પણ પ્રકારનું હથિયાર પણ લઈ જઈ શકાતું નથી.

મંદિરના પુજારી

ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડા અહીં મંદિરના મહેમાન ગણવામાં આવે છે. તેઓ ઈચ્છે ત્યાં સુધી અહીંયા રહી શકે છે. મંદિરના પુજારી તેમની બધી જરૂરીયાતો પુરી કરે છે.

પાંડવોનો અજ્ઞાતવાસ

આ મંદિર વિશે એવી પણ કથા પ્રચલિત છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવીને રહ્યા હતા. ત્યારે કૌરવો તેમનો પીછો કરતા અહીં પહોંચ્યા હતા, પરંતુ મહાદેવે તેમને પરિસરમાં પ્રવેશ ન કરવા દીધો અને કહ્યું કે, ‘આ મારો વિસ્તાર છે અને જે કોઈ પણ અહીં આવશે હું તેમની રક્ષા કરીશ’ ભગવાન શિવના ડરથી કૌરવોએ પરત ફરવું પડ્યું.

મંદિરમાં શરણ

તે દિવસથી જ્યારે પણ કોઈ એવું વ્યક્તિ આવે છે કે જેને સમાજે બહાર કર્યા હોય અથવા તેમના પ્રેમનો સ્વીકાર ન કર્યો હોય. તેવા લોકોને અહીં શરણ મળે છે અને તેઓ અહીં સુરક્ષિત પણ રહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો