એપશહેર

આવતીકાલે શનિવાર અને ગણેશ ચોથનો સંયોગ, આ રીતે પૂજા કરવાથી પૂર્ણ થશે મનોકામના

Mitesh Purohit | I am Gujarat 10 Apr 2020, 2:28 pm
હિંદુ પંચાંગ મુજબ આવતીકાલે ચૈત્ર મહિનની વદ ચોથ તિથિ છે. આ દિવસે ગણેશ ભક્તો વ્રત પૂજા કરીને વિઘ્નહર્તા દેવને પ્રસન્ન કરે છે. ચોથ તિથિએ ગણેશજીનું પૂજન કરવું અને શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો. પૂજામાં એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે, ગણેશજીને ક્યારેય તુલસીના પાન ચઢાવવા નહીં.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:સવારે વહેલાં ઊઠીને સ્નાન વગેરે કામ વહેલાં ઊઠીને પૂરાં કરી લો. બપોરના સમયે પોતાની ઈચ્છા પ્રમાણે સોના, ચાંદી, તાંબા, પીત્તળ કે માટીથી બનેલ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.સંકલ્પ મંત્ર પછી શ્રીગણેશની ષોડ્શોપચાર પૂજા-આરતી કરો અને ગણેશજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો.ऊँ गं गणपतयै नम: મંત્ર બોલીને 21 દૂર્વા દળ ચઢાવો તથા બૂંદીના 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાંથી 5 લાડુ મૂર્તિની પાસે રાખી દો અને 5 બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં ભક્તો વચ્ચે વહેંચી દો.પૂજામાં શ્રીગણેશ સ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશક સ્ત્રોત વગેરેનો પાઠ કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપ્યા પછી સાંજના સમયે પોતે ભોજન ગ્રહણ કરો. શક્ય હોય તો વ્રત કે ઉપવાસ પણ કરો.ગણેશ ચોથનું વ્રતવિનાયકી ચતુર્થીને વરદ વિનાયકી ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન પાસેથી પોતાની કોઈપણ મનોકામનાની પૂર્તિના આશીર્વાદને વરદ કહે છે. જે શ્રદ્ધાળુ વિનાયકી ચતુર્થીના ઉપવાસ કરે છે ભગવાન ગણેશ તેને જ્ઞાન અને ધૈર્યના આશીર્વાદ આપે છે. જ્ઞાન અને ધૈર્ય એવા બે ગુણો છે જેનું મહત્વ સદીઓથી મનુષ્યને જ્ઞાત છે. જે મનુષ્યની પાસે આ ગુણ છે તે જીવનમાં ઘણી ઉન્નતિ કરે છે અને મનોવાંછીત ફળ પ્રાપ્ત કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો