ભગવાન શિવ જેટલા જલદી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે, ત્યારે શિવ ભગવાનનો ક્રોધ પણ પ્રચંડ છે તેવું પુરાણોમાં જણાવ્યું છે. પુરાણોમાં ભગવાન શિવની ત્રીજી આંખનો ઉલ્લેખ છે. પુરાણોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે શંકર ભગવાનના મસ્તક પર જે ત્રીજી આંખ છે તે ખુલે ત્યારે તેમાંથી ભરપૂર ઉર્જા બહાર આવે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પુરાણોમાં એવું પણ કહેવાયું છે કે ભગવાન શિવની ત્રીજી આંખ પ્રલય છે, આ આંખ જ્યારે ખુલશે ત્યારે ધરતીનો વિનાશ થઈ જશે! ભગવાન શિવના લલાટ પર તેમની ત્રીજી આંખ જોવા મળે છે જેના કારણે તેઓને ત્રિનેત્રેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે ત્રિનેત્રેશ્વર મંદીર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં આવેલું ગુર્જર પ્રતિહાર શૈલીનું ભગવાન શિવનું મંદિર છે. આ મંદિર તેના વાર્ષિક મેળા, તરણેતર મેળા માટે જાણીતું છે. પુરાણો અનુસાર ભગવાનના ત્રણેય નેત્રોને ત્રિકાળનું પ્રતીક માનવામાં આવ્યું છે. જેમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળનો વાસ છે. ભગવાન શિવ સમગ્ર બ્રહ્માંડને પણ જોઈ શકે છે, સાથે ભૂતકાળ અને વર્તમાન પર પણ નિયંત્રણ રાખી શકે છે. અને ભવિષ્યને પણ જોઈ શકે છે.
શું છે ભગવાન શિવની ત્રીજી આંખનું રહસ્ય? જાણો
I am Gujarat 14 Nov 2019, 9:08 pm