1લી ઓગસ્ટે શ્રાવણ મહિનાનો શનિવાર અને તેરસની તિથિનો સમન્વય થતાં શનિ પ્રદોષનો સંયોગ રચાયો છે. આ દિવસને વિશિષ્ટ બનાવી રહ્યો છે રવિયોગ અને લક્ષ્મીનારાયણ યોગ. માટે જ આજનો દિવસ શિવકૃપા, પુણ્યપ્રાપ્તિ અને કાર્યસિદ્ધિ માટે ઉત્તમ બની રહેશે. શ્રદ્ધાળુઓ આજના દિવસે શિવપૂજન, સ્ત્રોતનું પઠન કરી શકે છે.
જ્યોતિષાચાર્ચના જણાવ્યા અનુસાર, શ્રાવણ મહિનામાં આવતો શનિ પ્રદોષ શિવકૃપા મેળવવા માટે ઉત્તમ હોય છે. સાથે જ રવિયોગ અને લક્ષ્મીનારાયણ યોગનો સંયોગ પણ બની રહ્યો છે. માટે જ કાર્ય સિદ્ધિ માટે આ દિવસ વિશેષ બની રહેશે. આજનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક પ્રગતિ માટે પણ શ્રેષ્ઠ રહેશે.
વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઘરે જ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવું ઉત્તમ રહેશે. આ સાથે 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. શિવ મહિમ્ન સ્ત્રોતનું પઠન પણ ઉત્તમ રહેશે. આ સિવાય જે લોકોને શનિદોષ કે પનોતી હોય તેમણે આ દિવસે શનિચાલીસનું પઠન કરવું જોઈએ.
જ્યોતિષાચાર્ચના જણાવ્યા અનુસાર, શ્રાવણ મહિનામાં આવતો શનિ પ્રદોષ શિવકૃપા મેળવવા માટે ઉત્તમ હોય છે. સાથે જ રવિયોગ અને લક્ષ્મીનારાયણ યોગનો સંયોગ પણ બની રહ્યો છે. માટે જ કાર્ય સિદ્ધિ માટે આ દિવસ વિશેષ બની રહેશે. આજનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિ અને ભૌતિક પ્રગતિ માટે પણ શ્રેષ્ઠ રહેશે.
વર્તમાન કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઘરે જ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવું ઉત્તમ રહેશે. આ સાથે 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. શિવ મહિમ્ન સ્ત્રોતનું પઠન પણ ઉત્તમ રહેશે. આ સિવાય જે લોકોને શનિદોષ કે પનોતી હોય તેમણે આ દિવસે શનિચાલીસનું પઠન કરવું જોઈએ.