એપશહેર

17 તારીખથી ચાલુ થશે અધિક માસ, અત્યંત શુભ ફળ આપશે આ 5 કામ

ભગવાન વિષ્ણુંને અત્યંત પ્રિય છે અધિકમાસ, તેમના જ એક નામ પરથી કહેવાય છે પુરુષોત્તમ મહિનો

I am Gujarat 16 Sep 2020, 8:17 pm
હવે અધિકમાસ શરુ થઈ રહ્યો છે. આ મહિનાની ગણતરી મુખ્ય મહિનામાં નથી થતી. જોકે, એવી કથા છે કે જ્યારે મહિનાની વહેંચણી થઈ રહી હતી ત્યારે અધિકમાસ ઉદાસ અને દુઃખી હતો. કારણકે તેને એવું હતું કે લોકો તેને અપવિત્ર માનશે. આવા સમયે ભગવાન વિષ્ણુએ કહ્યું કે, અધિકમાસ તું મને અત્યંત પ્રિય રહીશ અને તારું એક નામ પુરુષોત્તમ માસ હશે. જે મારું પણ એક નામ છે. તે સમયે, ભગવાને એવું પણ કહ્યું હતું કે આ મહિનાની ગણતરી અન્ય 12 મહિનાથી અલગ છે. તેથી આ મહિનામાં લૌકિક કાર્ય પણ અનુકૂળ રહેશે નહીં. પરંતુ આવા કેટલાક કાર્યો છે જે આ મહિનામાં ખૂબ જ શુભ રહેશે અને તે કાર્યોનો સંબંધ મારાથી જ રહેશે.
I am Gujarat these 5 things are auspicious in adhikmaas
17 તારીખથી ચાલુ થશે અધિક માસ, અત્યંત શુભ ફળ આપશે આ 5 કામ



સત્યનારાયણ ભગવાનની પૂજા

અધિકમાસમાં શ્રી હરિ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત ઉત્તમ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે, એક માન્યતા અનુસાર આધિકમાસમાં તમામ પ્રકારના શુભ કામ કરવા પ્રતિબંધ માનવામાં આવે છે પરંતુ ભગવાન સત્યનારાયણની ઉપાસના કરવી સૌથી શુભ માનવામાં આવે છે. અધિકમાસમાં વિષ્ણુજીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ ખુશ થાય છે અને ધનમાં ધનધાન્ય સાથે સુખ તેમજ સમૃદ્ધિ પણ આવે છે.

મહામૃત્યુંજય મંત્રનો જાપ

અધિકમાસમાં ગ્રહોના દોષોની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કોઈ પૂજારી પાસે કરાવડાવો તો વધુ સારું છે. જો કોરોનાકાળના સમયગાળા દરમિયાન આ શક્ય ન હોય તો તમારે જાતે જ તમારા ઘરે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ કરવાથી, તમારા ઘરમાંથી તમામ પ્રકારના દોષો દૂર થશે અને તમારા ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે.

યજ્ઞ અને અનુષ્ઠાન

પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ દેવતાઓને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરતાં આવ્યાં છે. જો તમે લાંબા સમયથી તમારી કેટલીક ઇચ્છાઓ માટે યજ્ઞ અથવા ધાર્મિક અનુષ્ઠાન કરવા વિશે વિચારી રહ્યાં છો. તો આ દરેક કાર્ય કરવા માટે સમય શ્રેષ્ઠ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આધિકમાસમાં કરવામાં આવેલ યજ્ઞ અને ધાર્મિક વિધિનું પૂર્ણ ફળ મળે છે અને ભગવાન તેના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

વ્રજભૂમિની યાત્રા

પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે અધિક મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેના બધા અવતારોની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આધિકમાસના આ 30 દિવસ દરમિયાન લોકો હંમેશાં વ્રજની યાત્રા પર જતા હોય છે. જો કે, કોરોનાકાળ દરમિયાન વ્રજભૂમિની મુસાફરી થોડી મુશ્કેલ હોઈ શકે છે. તેથી તમારા ઘરમાં ભગવાન રામ અને કૃષ્ણની પૂજા કરો તે જ વધારે સારું છે. આવું કરવાથી શ્રેષ્ઠ ફળ મળશે.

દાનપુણ્યના કાર્ય

ભારતીય સંસ્કૃતિમાં દાન-પુણ્ય કરવાનો પણ મહિમા દર્શાવવામાં આવ્યો છે. ખાસ કરીને અધિકમાસમાં દાન પુણ્યના કાર્યો તમારા માટે વૈકુંઠનો માર્ગ મોકળો કરે છે. અધિકમાસના દિવસો દરમિયાન ખાસ કરીને ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમને ભગવાન શ્રીહરિના આશીર્વાદ મળે છે અને તમારો ગુરુ પણ અત્યંત પ્રબળ બને છે. ગુરુ બળવાન હોવાનો મતલબ છે કે તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો