એપશહેર

...તો ગમે તેટલી પ્રાર્થના કરવાથી પણ કશું નહીં વળે

Shailesh Thakkar | I am Gujarat 11 Jul 2018, 11:34 pm
I am Gujarat these things you have to keep in mind while prayer
...તો ગમે તેટલી પ્રાર્થના કરવાથી પણ કશું નહીં વળે


દરેક વ્યક્તિ માટે અલગ છે પ્રાર્થનાનું મહત્વ

આપણે બધા પ્રાર્થના કરીએ છીએ પણ તે એકસમાન હોય તેવું જરૂરી નથી. એવા કેટલાક પ્રયોગ છે જેમાં કેટલાક લોકોએ એક જ પ્રાર્થના એક જ ભાષામાં કરી. તેનાથી તેમને લાભ તો થશે પણ તે સ્થાયી ન બની શકી. પ્રાર્થના કરનારા ધીમે-ધીમે એવી સ્થિતિમાં પહોંચી જાય છે કે, પછી તેઓ પોતાનાથી ભિન્ન સ્થિતિ સહન કરી શકતા નથી.

હૃદયથી કરવામાં આવે છે પ્રાર્થના

અસલમાં જેને સહજ ભાવથી જે સૂઝે છે તે અનુસાર જ તે પ્રાર્થના કરે છે. પ્રાર્થના હૃદય દ્વારા કરવામાં આવે છે. આપણે સંતોની વાણીનું અનુકરણ કરીએ છીએ કારણ કે આપણને લાગે છે કે, તે આધ્યાત્મિક ભાષા વધુ સારી રીતે જાણે છે. અસલમાં આપણે વિવેક અને વિચારના આધારે પ્રાર્થના કરવી જોઈએ. આ બધું માત્ર પયત્ન હોઈ શકે છે કારણ કે, પરમેશ્વર અચિંત્ય-અનંત છે.

જેને જે સૂઝે છે, તેવું કરે છે

કોઈ મહાપુરુષે ક્યાંક ટાંક્યું છે કે, ‘મને લાગે છે કે, પક્ષીઓ સવારે ઉઠીને જે કલરવ કરે છે તે ઈશ્વરના સ્મરણ સમાન જ હોય છે. તેઓ જે કંઈપણ બોલે છે, સવાર પ્રત્યે ખૂબ ગંભીર હોય છે. પ્રાર્થના એટલે જીવનો ઈશ્વરને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો એક પ્રયત્ન. આ પ્રયત્નમાં જેને જે સૂઝે છે તેવું તે કરે છે. જેમ રડવાનું-હસવાનું શિખવાડવામાં નથી આવતું. એમ જ પ્રાર્થના પણ હૃદયથી સહજ ભાવે નીકળે છે.’

પ્રાર્થનામાં જીવન પ્રત્યે નિષ્ઠા

સવારની પ્રાર્થનામાં જીવન પ્રત્યે નિષ્ઠા દેખાડવામાં આવે છે. નિર્ણયની શક્તિ કેવી રીતે હાથમાં આવશે, તેનું જ્ઞાન પણ આપણને અભ્યાસથી થઈ જશે. જ્ઞાનની મહિમા તો ઉપનિષદ ગાય છે, તેમાં અજ્ઞાનની મહિમા ગાવામાં આવી છે. આત્મજ્ઞાનની જેટલી આવશ્યકતા છે, તેટલી બીજી કોઈ વસ્તુની નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો