એપશહેર

ધનતેરસ પર આમાંથી કોઈ એક વસ્તુ અચૂક ખરીદો, ધનના ભંડાર ભરેલા રહેશે

શિવાની જોષી | I am Gujarat 20 Oct 2019, 10:30 am
આ વર્ષે 25 ઓક્ટોબરે ધનતેરસ છે. માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ ગણાય છે. આ દિવસે ખરીદી કરવાથી હંમેશા ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ લક્ષ્મી માતાની કૃપા રહે છે. આ દિવસે કરેલી ખરીદી કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં જે પણ નવી વસ્તુ ખરીદો તે શુભ ફળ આપે છે. જાણી લો કે, કઈ વસ્તુઓ છે જે ધનતેરસે ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોલક્ષ્મી માતાની કૃપા રહેશેધનતેરસના દિવસે લક્ષ્મી માતનું સ્ફટિક યંત્ર ખરીદી શકો છો. આ દિવસે યંત્ર ખરીદવાથી લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થાય છે. શ્રીયંત્રની પૂજા દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશ પૂજનમાં કરો.ચાંદીના સિક્કાધનતેરસે ચાંદી અથવા સોનાના સિક્કા (ગણેશ અને લક્ષ્મી માતાની છબિવાળા) જરૂર ખરીદવા જોઈએ. ધનતેરસે ખરીદેલા સિક્કાની દિવાળીના દિવસે પૂજા કરવી જોઈએ. સાથે જ સિક્કા ઉપરાંત ચાંદીના વાસણ ખરીદી શકો છો.નકારાત્મક ઊર્જા દૂર થશેધનતેરસના દિવસે સાવરણી કે ઝાડુ ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે સાવરણી ખરીદવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશે છે.દુકાનદારોએ ખરીદવી આ વસ્તુધનતેરસે દુકાનદારોએ નવા ચોપડા અને તિજોરી ખરીદવી જોઈએ. દુકાનદારોએ નવી તિજોરી અને ચોપડાનો ઉપયોગ દિવાળીના દિવસે મા લક્ષ્મીનું પૂજન કર્યા બાદ વાપરવું જોઈએ. ધ્યાન રાખવું કે તિજોરી એલ્યુમિનિયમની ના હોવી જોઈએ.આ વાસણ ખરીદોધનતેરસના દિવસે પિત્તળના વાસણ ખરીદવા જોઈએ. માનવામાં આવે છે કે અમૃત કળશ પિત્તળનો બનેલો છે અને પિત્તળ ભગવાન ધનવંતરીની પ્રિય ધાતુ છે. સાથે જ કંકુથી દરવાજા પર સ્વસ્તિક બનાવવો જોઈએ અને પૂજા કરવી જોઈએ.સંપન્ન રહેવા માટે ખરીદો આ વસ્તુપરિવારમાં દરેકનું સ્વાસ્થ્ય સારું રહે અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ધનતેરસે 11 ગોમતી ચક્ર ખરીદો. આ ગોમતી ચક્રને પીળા રંગના કપડામાં બાંધીને તિજોરી કે કબાટમાં એવી જગ્યાએ મૂકો જ્યાં તમે રૂપિયા રાખતા હો.લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદોધનતેરસના દિવસે ચાંદી અથવા માટીના ગણેશની મૂર્તિ ખરીદીને પૂજા કરો. ધ્યાન રાખો કે મૂર્તિની ઊંચાઈ અંગૂઠા જેટલી હોવી જોઈએ. પૂજા કર્યા બાદ આ મૂર્તિઓને તિજોરી અથવા કબાટમાં મૂકી દો.લક્ષ્મી માતાને આ વસ્તુ ચડાવોધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવા શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ આ વિશે ઉલ્લેખ છે. ધાણાને દિવાળીના પૂજનમાં લક્ષ્મી માતાને અર્પિત કરો અને બાદમાં બગીચામાં દાટી દો. થોડા ધાણા તિજોરી અથવા કબાટમાં મૂકો અને થોડા ખાવા માટે રાખી શકો છો.ધન પ્રાપ્તિ અને વેપાર-ધંધામાં વૃદ્ધિ માટે કરો આ ઉપાય
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો