એપશહેર

અહિ કોઈ ડોક્ટર કે દવા વગર જ મળે છે લકવામાંથી મુક્તિ

Gaurang Joshi | I am Gujarat 15 Sep 2018, 9:23 pm
I am Gujarat this temple is famous for paralysis treatment
અહિ કોઈ ડોક્ટર કે દવા વગર જ મળે છે લકવામાંથી મુક્તિ


લકવાના રોગથી મુક્તિ

રાજસ્થાનમાં એક એવું મંદિર પણ છે. જ્યાં લકવાના રોગી રોગમુક્ત થઈ જાય છે. આ મંદિરમાં દૂર દૂરથી લકવાના દર્દીઓ પોતાના સંબંધીઓની મદદથી આવે છે પરંતુ જ્યારે બહાર નીકળે છે ત્યારે પોતાના પગે બહાર નીકળે છે. કળિયુગમાં આવા ચમત્કાર થવા અશક્ય લાગે છે પરંતુ જ્યારે આવા ચમત્કાર થાય છે ત્યારે ઈશ્વરમાં આસ્થા વધી જાય છે.

લકવાગ્રસ્ત વ્યક્તીની સારવાર

રાજસ્થાનમાં નાગોરથી ચાલીસ કિ.મી દૂર અજમેર-નાગોર રોડ પર કુચેરા વિસ્તાર પાસે બૂટાટી ધામ છે જ્યાં ચતુરદાસજી મહારાજના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર લકવાગ્રસ્ત વ્યક્તીઓની સારવાર કરવામાં મદદ કરે છે. જેઓ આ મંદિરમાં સારવાર લેવા આવે છે તે દર્દીઓની રહેવા અને જમવાની વ્યવસ્થા મંદિરમાં તદ્દન ફ્રી કરવામાં આવે છે.

પરિક્રમા અને હવન કુંડની ભભૂતિ

આ મંદિરમાં બીમારીની સારવાર કોઈ પંડિત પણ નથી કરતું કે કોઈ વેદ અથવા હકિમ પણ નથી કરતું. અહિ સાત દિવસ માટે દર્દી સાથે આવવું પડે છે અને સાત દિવસો સુધી મંદિરની પરિક્રમા કરવી પડે છે. આ પછી હવનકુંડની ભભૂતિ લગાવવી પડે છે. ધીરે-ધીરે લકવાની બીમારી દૂર થવા લાગે છે. જે લકવાના કારણે બોલી નથી શકતા તે પણ ધીરે ધીરે બોલવા લાગે છે.

કેવી રીતે થાય છે ચમત્કાર

એવું કહેવાય છે કે 500 વર્ષ પહેલા અહી એક મહાન સંત થયા હતા જેનું નામ ચતુરદાસજી મહારાજ હતું. તેમણે ઘોર તપસ્યા કરી અને રોગમુક્ત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આજે પણ તેની શક્તિ જ તેના માનવીય કાર્યમાં સાથ આપે છે. જે તેની સમાધિની પરિક્રમા કરે છે. તેને લકવામાં રાહત મળે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો