એપશહેર

તમે ઘડિયાળ ખોટી દિશામાં તો નથી લાગવીને..

Arjun Parmar | Navbharat Times 16 Nov 2017, 2:13 pm
I am Gujarat tips to keep watch in your house for happiness
તમે ઘડિયાળ ખોટી દિશામાં તો નથી લાગવીને..


તમારો સારો સમય રોકી શકે છે ઘડિયાળ

મનુષ્યના જીવનમાં સૌથી વધુ બળવાન હોય છે. મનુષ્ય હંમેશા સમય સાથે જ ચાલે છે, જો તે આવું ન કરે તો પાછળ રહી જશે. સમય સારો હોય કે ખરાબ તે દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે. જે સમય એકવાર જતો રહે તે જીવનમાં પાછો ક્યારેય નથી આવતો પરંતુ શું તમે જાણો છો કે ખોટી દિશામાં ઘડિયાળ રાખવાથી પણ તમારા જીવન પર અસર પડી શકે છે. વાસ્તુ અનુસાર જો ઘડિયાળ ઘરમાં ખોટી દિશામાં લાગેલી હોય તો પરિવારવાળા પરેશાનીઓથી ઘેરાઈ જાય છે જેથી ઘડિયાળ લગાવતા સમયે આ બાબતોનું ધ્યાન રાખો…

બંધ ઘડિયાળનો ઉપયોગ

વાસ્તુ અનુસાર ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડે છે. હંમેશા પોતાના ઘરમાં ઘડિયાળ ચાલુ રાખો. જો તમારા ઘરમાં ઘડિયાળ બંધ પડી હોય તો તે તરત કાઢી નાખો.

દક્ષિણ દિશામાં ન લગાવો ઘડિયાળ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ. દક્ષિણ, યમની દિશા માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે યમને મૃત્યુનો દેવતા માનવામાં આવે છે. હંમેશા ઘડિયાળને ઉત્તર-પૂર્વ તરફ જ લગાવવું જોઈએ.

દરવાજા પાસે ન લગાવો ઘડિયાળ

મોટાભાગના લોકો ઘડિયાળને દરવાજા કે બારી પાસે લગાવા દે છે. આવું કરવાથી પરિવારના સભ્યોની તબિયત લથડી શકે છે. રુમના દરવાજામાંથી માત્ર માણસ જ નહીં પ્રકૃતિની ઉર્જા પણ પ્રવેશ કરે છે. દરવાજા કે બારી પર ઘડિયાળ લગાવી દેવાથી સુખ-સમૃદ્ધિ પ્રવેશ કરી શકતી નથી.

ઘડિયાળનો કાચ તૂટેલો ન હોય

વાસ્તુ અનુસાર ઘરમાં ઘડિયાળનો કાચ તૂટેલો ન હોવો જોઈએ અને સાથે જ ઘરની કોઈપણ ઘડિયાળ સમય કરતા પાછળ ન ચાલે. જો બની શકે તો ઘડિયાળ 5-7 મિનિટ આગળ જ ચાલવી જોઈએ.

ઓશિકા નીચે ન મૂકો ઘડિયાળ

વાસ્તુ અનુસાર કોઈપણ પ્રકારની ઘડિયાળ ઓશિકા નીચે ઘડિયાળ ન રાખવી જોઈએ. આવું કરવાથી નકારાત્મક પ્રભાવ પડે છે. જો તમે નવી તકોની તલાશ કરી રહ્યા હોવ ત ઘડિયાળને પશ્ચિમ દિશામાં લગાવો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો