એપશહેર

આજે પુત્રદા એકાદશી, સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે ભગવાન વિષ્ણુનું આ વ્રત

હિંદુ ધર્મ મુજબ નિઃસંતાન યુગલ સંતાન પ્રાપ્તિ આ વ્રત કરે છે. વર્ષમાં બેવાર પુત્રદા એકાદશી આવે છે. આ વ્રત અંગે હિંદુ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે. ત્યારે આવો જાણીએ આ વ્રત વિશે...

I am Gujarat 30 Jul 2020, 7:49 am
વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં તૃતીય માસ પોષની સુદ અગિયારસને પુત્રદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, જેની કથા ભદ્રાવતી નગરીનાં રાજા સુકેતુમાનને અનુલક્ષીને કહેવામા આવી છે. આ ઉપરાંત વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષનાં દશમા માસ શ્રાવણની સુદ અગિયારસનાં દિવસની એકાદશીને પણ પુત્રદા એકાદશી કહે છે જેની કથા મહિજીત નામનો રાજા અને લોમેશ નામના ઋષિને અનુલક્ષીને કહેવામાં આવી છે. જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.
I am Gujarat today putrada ekadashi in hindu tradition by performing this ritual childless couple get one
આજે પુત્રદા એકાદશી, સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે ભગવાન વિષ્ણુનું આ વ્રત



પુત્રદા એકાદશી

શ્રાવણના મહિનામાં આમ તો શિવ પૂજા કરવામાં આવે છે પરંતુ આ દરમિયાન ભગવાન વિષ્ણુને પ્રિય દિવસ અને તિથિઓ પણ આવે છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને દિવસે કરવામાં આવતું વિષ્ણુ પૂજન ફળદાયી સાબિત થાય છે. શ્રાવણ શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે.આ દિવસે વ્રત કરવામાં આવે છે અને સંતાન સુખ માટે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

વર્ષમાં બે વાર આવે છે આ એકાદશી

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર એક વર્ષમા 24 એકાદશીના વ્રત આવે છે. પરંતુ જ્યારે અધિક માસ હોય છે ત્યારે તે વર્ષમાં 26 એકાદશી આવે છે. વર્ષમાં બેવાર પુત્રદા એકાદશી આવે છે. શ્રાવણ મહિનામાં અને પોષ મહિનામાં આવતી શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે પુત્રરત્નની પ્રપ્તિ માટે વ્રત કરવું ફળદાયી નિવડે છે. સંતાન સુખથી વંચિત દંપતિઓએ આ દિવસે ચોક્કસપણે વ્રત કરવું જોઇએ. આ વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશી આજે 30મી જુલાઇએ છે.

વ્રતની પૂજા વિધિ

આ વ્રત કરનાર લોકોએ દશમની તિથિથી જ સાત્વિક ભોજન કરવું જોઇએ. આ દિવસે ભગવાન વિષ્ણુના જાપ શરૂ કરવા જોઇએ. એકાદશીના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની પુજા કરવી જોઇએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાનનું મહત્વ છે. જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગા જળને ન્હાવાના પાણીમાં ઉમેરીને તે પાણીથી સ્નાન કરવું જોઇએ.

આ રીતે કરો વિષ્ણુની પૂજા

શ્રી વિષ્ણુ પુજનમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ આગળ દીવો કરીને વ્રતનું સંકલ્પ લો. કળશ પર લાલ કપડું બાંધીને જ પુજા કરવી જોઇએ. વિષ્ણુ પ્રતિમાને સ્નાન કરાવ્યા બાદ ચંદન,સિંદૂર,ફૂલ વગ્રેથી પુજન કરો. આ દિવસે યથાશક્તિ દાન પણ કરવું જોઇએ. આખો દિવસ અન્ન ગ્રહણ કર્યા વિના એકાદશીની રાત્રે પારણા કરવામાં આવે છે. રાતે ભગવાન વિષ્ણુના ભજન-કિર્તન કરવામાં આવે છે. આ દિવસે દીપદાનનું ઘણું મહાત્મય છે.

આવી છે વ્રતની કથા

ભગવાન શ્રીકૃષ્ણએ પોતે યુધિષ્ઠિરને આ વ્રતની કથા સંભળાવી હતી. આ એકાદશી વ્રત વિશે યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણને જણાવ્યું કે, દ્વાપર યુગમાં મહિષ્મતીપુરીનો રાજા મહીજીત પુત્ર વિહીન હતો. રાજાના શુભચિંતકોએ આ વાત માહમુનિ લોમેશને જણાવી તો તેમણે જણાવ્યું કે, રાજન પૂર્વ જન્મમાં એક વૈશ્ય હતાં. આ એકાદશીના દિવસે બપોરના સમયે તેઓ એક જળાશય પર પહોંચ્યાં. ત્યાં ગરમીથી પીડિત એક ગાયને પાણી પીતી જોઇે તેમણે તેને રોકી દીધી અને સ્વયં પાણી પીવા લાગ્યાં. તે એક પાપના કારણે આજે તેઓ સંતાન વિહીન છે. મહામુનિએ જણાવ્યું કે, રાજાના શુભચિંતક જો શ્રાવણ સુદ પક્ષની એકાદશી તિથિએ વિધિ પૂર્વક વ્રત કરે અને તેનું પુણ્ય રાજાને આપે તો નિશ્ચિત જ તેમને સંતાનની પ્રાપ્તિ થશે. મુનિના નિર્દેશાનુસાર રાજા સાથે-સાથે પ્રજાએ પણ આ વ્રત રાખ્યું. થોડાં સમય બાદ રાણીએ પુત્રને જન્મ આપ્યો. નિસંતાન દંપતિ સંતાન પ્રાપ્તિ માટે અને જેમને સંતાન છે તે પોતાના સંતાનના સુખની પ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો