સ્પીકિંગ ટ્રીઃ હળદરને આપણા શાસ્ત્રોમાં પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. નામ માત્ર આયુર્વેદમાં પણ તે સિવાય પણ તેના કેટલાક ઉપયોગ વિશે જ્યોતિષશાસ્ત્રમાં વાત કરવામાં આવી છે. હળદરની ગાંઠને અત્યંત લાભદાયક માનવામાં આવે છે, તેનો સંબંધ દેવગુરુ ગુરુની સાથે સ્વીકારવામાં આવ્યો છે. હળદરની પવિત્રતા અંગે અલગ-અલગ માન્યતાઓ છે.
જ્યોતિષશાસ્ત્ર
જ્યોતિષશાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે, જે જાતકોનું ભાગ્ય તેમનો સાથ નથી આપતું, તેમના માટે હળદરની માળાનો પ્રયોગ કરવો જોઈએ. આ સિવાય એક જાતકને સારું સ્વાસ્થ્ય આપે છે અને તેના જીવનમાં આવનારી મુશ્કેલીઓનો અંત આવે છે. જો તમારા મનમાં કોઈ એવી ઈચ્છા છે જેને પૂર્ણ કરવી જરુરી છે તો તમારે હળદરની માળા પહેરવી જોઈએ.
લાભ
આવો જાણીએ હળદરની માળા ધારણ કરવાથી તમને કેવા પ્રકારના લાભ થાય છે.
કમળાની બીમારી
કમળાથી પીડાતી વ્યક્તિ જો હળદરની માળા ધારણ કરે તો બીમારીમાંથી જલદી મુક્તિ મળે છે.
માનસિક રીતે પરેશાન
માસિક રીતે પરેશાન વ્યક્તિએ જરુર હળદરની માળા ધારણ કરવી જોઈએ. તે મનમાં સદ્વિચાર ઉત્પન્ન કરે છે, સાથે જ વ્યક્તિના મનમાં આવતા ખોટા વિચારોને અટકાવે છે.
ભગવાન ગણેશ અને ગુરુની આરાધના
ભગવાન ગણેશ અને ગુરુદેવની આરાધના કરવા માટે હળદરની ગાંઠનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી તે તરત પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરે છે. જે જાતકની કુંડળીમાં ગુરુની સ્થિતિ સારી ના હોય તેણે જરુર હળદરની માળા ધારણ કરવી જોઈએ. તેનાથી ગુરુનું શુભ ફળ મળે છે અને જાતકને જુદા-જુદા લાભ થાય છે.
ગુરુ મંત્રનો જાપ
હળદરની માળા પર બગલામુખી મંત્રનો જાપ કરવાના ફાયદા થાય છે, તેના સિવાય બૃહસ્પતિ મંત્ર જાપ કરવાથી પણ હળદરની માળા કરી શકાય છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.