એપશહેર

પિતૃ પક્ષમં સર્વાર્થ સિદ્ધિ યોગ સહિતના વિશેષ યોગ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરો આટલું

આ વખતે શ્રાદ્ધ પક્ષ વિશેષ યોગના કારણે ખૂબ જ ફળદાયી અને સમૃદ્ધિ દાયક સાબિત થશે. આ તમામ શુભ યોગમાં પુણ્ય કાર્ય કરવાથી તેનું અનેકગણું ફળ મળે છે.

I am Gujarat 20 Sep 2021, 2:46 pm
21 સપ્ટેમ્બર મંગળવારથી શરું કરીને 6 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ પક્ષ ચાલુ રહેશે. 16 દિવસ સુધી ચાલનારા પિતુ પક્ષમાં પૂર્વજોને યાદ કરવામાં આવે છે અને દાન, શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ કરવામાં આવે છે. ત્યારે આ વખતે પિતૃ પક્ષમાં ખૂબ જ શુભ સંયોગો બની રહ્યા છે જે ખૂબ જ ફાયદાકારક છે. આ વખતે પિતૃ પક્ષમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, અમૃત સિદ્ધિ યોગના વિશેષ સંયોગો રચાઈ રહ્યા છે. શાસ્ત્રો અનુસાર શુભ સંયોગોમાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી શુભ કાર્યોમાં પ્રગતિ થશે, વંશ વૃદ્ધિ, પરિવારમાં સુખ -શાંતિ અને સમૃદ્ધિ આવશે અને શુભ કાર્યોમાં આવતા અવરોધો દૂર થશે. આ શુભ યોગમાં કરવામાં આવેલ તર્પણ અને પિંડ દાન પણ પિતૃ દોષથી મુક્તિ આપે છે. ચાલો જાણીએ આ શુભ યોગો વિશે...
I am Gujarat very auspicious sarvartha siddhi yoga amrit siddhi yoga and ravi yoga in pitru paksha 2021
પિતૃ પક્ષમં સર્વાર્થ સિદ્ધિ યોગ સહિતના વિશેષ યોગ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરો આટલું

20થી 26 સપ્ટેમ્બર સાપ્તાહિક રાશિફળઃ ગ્રહોની સ્થિતિ આ રાશિઓ માટે લકી સાબિત થશે
અમૃત સિદ્ધિ યોગ

પિતૃ પક્ષમાં 27 અને 30 સપ્ટેમ્બરના રોજ અમૃત સિદ્ધિ યોગની રચના થઈ રહી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમૃત સિદ્ધિ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ ખાસ નક્ષત્ર અને વારના સંયોગથી રચાય છે. કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક છે. તમામ શુભ કાર્ય માટે શુભ સમય માટે આ યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યોગમાં કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે અને તેના નામ પ્રમાણે કામ કરે છે. આ યોગમાં કરેલા પુણ્યશાળી કાર્યનું ફળ વ્યક્તિને અમૃત સમાન છે. આ યોગને સફળતા અને શુભનું પ્રતીક માનવામાં આવે છે.
તુલા રાશિમાં બુધનું ગોચર, કરિયર અને વેપાર મામલે આ 6 રાશિનો સિતારો ચમકશે
રવિ યોગ

પિતૃ પક્ષની 26 અને 27 સપ્ટેમ્બરના રોજ રવિ યોગ રચાઈ રહ્યો છે. સૂર્યના સંપૂર્ણ આશીર્વાદ મળવાના કારણે રવિ યોગને ખૂબ અસરકારક યોગ માનવામાં આવે છે. જેમાં કરવામાં આવેલ કાર્ય શુભ પરિણામ આપે છે. સૂર્યની પવિત્ર ઊર્જાથી ભરપૂર હોવાને કારણે આ યોગમાં કરવામાં આવેલ કાર્ય શુભ ફળ આપે છે. આ યોગ વિશે કહેવામાં આવે છે કે તેમાં લગભગ તમામ દોષો નાશ પામે છે. પિતૃ પક્ષમાં રવિ યોગનું આવવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે.
20થી 26 સપ્ટેમ્બર સાપ્તાહિક લવ રાશિફળઃ આ રાશિઓના પ્રેમ પ્રસંગ રહેશે મજેદાર
સર્વાર્થ સિદ્ધિ યોગ

પિતૃપક્ષની 21, 23, 24, 27, 30 સપ્ટેમ્બર અને 6 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. સર્વાર્થ સિદ્ધિ યોગ એક ખૂબ જ શુભ યોગ છે. જે ચોક્કસ વાર અને ચોક્કસ નક્ષત્રના સંયોગથી રચાય છે. આ યોગ બધી ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂરી કરવાવાળો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં કરવામાં આવેલ કોઈપણ કાર્ય ચોક્કસપણે સફળ થાય છે અને વ્યક્તિને લાભ પ્રદાન કરે છે. આ યોગમાં શુક્રનો અસ્ત, પંચક, ભદ્રા વગેરે શુભ મુહૂર્ત માટે ધ્યાનમાં લેવામાં આવતા કોઈપણ મુહૂર્ત બાબતે વિચાર કરવામાં આવતો નથી. આ યોગને કંઈ જ નડતું નથી. જો કોઈ શુભ મુહૂર્ત ઉપલબ્ધ ન હોય તો તમે આ શુભ યોગમાં કામ કરી શકો છો. આ યોગ તમામ દોષોને દૂર કરવાની શક્તિ ધરાવે છે.

Read Next Story