એપશહેર

તમારી રાશિ અનુસાર કરવી જોઈએ આ ભગવાનની પૂજા, મળશે ઈચ્છિત ફળ

Yogesh Gajjar | I am Gujarat 22 Nov 2017, 5:15 pm
I am Gujarat which gods prayer you should to according to you zodiac sign
તમારી રાશિ અનુસાર કરવી જોઈએ આ ભગવાનની પૂજા, મળશે ઈચ્છિત ફળ


રાશિ અનુસાર કરો ભગવાનની પૂજા

તમારી રાશિ અનુસાર ભગવાનની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રાશિના લોકોને કયા દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ.

મેષઃ

આ રાશિના જાતકો મનથી ચંચળ હોય છે. તેમને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. સાથે જ લાલ ફુલો અર્પિત કરવા જોઈએ.

વૃષભઃ

આ રાશિના જાતકો જિદ્દી સ્વભાવના હોય છે. તેમને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. સાથે જ ભગવાનને સફેદ ચંદન અર્પિત કરવું જોઈએ.

મિથુનઃ

આ રાશિના જાતકો હંમેશા દુવિધામાં રહે છે. તેને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ. સાથે જ પૂજામાં ગુગળનો ધૂપ ભગવાનને અર્પિત કરવો જોઈએ.

કર્કઃ

આ રાશિના જાતકો ખૂબ ભાવુક સ્વભાવના હોય છે. તેમણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. પૂજામાં શંખ વગાડવો જરૂરી છે. આમ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે. સિંહઃ આ રાશિના જાતકોને જીવનમાં વધારે સંઘર્ષ કરવો પડે છે. તેમણે સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ. સાથે જ સવારે સ્નાન કરીને જળ અર્પિત કરવું જોઈએ.

કન્યાઃ

કન્યા રાશિના જાતકોએ હંમેશા જરૂરતથી વધારે ધન કમાવવા પાછળ ભાગે છે. આ રાશિના જાતકોમાં દુર્ગાની પૂજા કરવી જોઈએ. પૂજામાં શુદ્ધ ઘીનો દિવો જરૂરથી પ્રગટાવવો જોઈએ.

તુલાઃ

આ રાશિના જાતકો ખૂબ લાપરવાહ હોય છે. તેમને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ. સાથે જ પૂજામાં સફેદ ફૂલ ચઢાવવા જોઈએ.

વૃશ્ચિકઃ

આ રાશિના જાતકોને કાર્યોમાં સફળતા ન મળવાથી પરેશાન રહે છે. આ માટે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. પૂજામાં તુલસીના પત્ર જરૂરથી ચઢાવવા.

ધનઃ

આ રાશિના જાતકોની વાણીમાં કઠોરતા હોય છે. તેનાથી લોકો જલ્દી જ નારાજ થઈ જાય છે. તેમને સૂર્યન દેવની ઉપાસના કરવી જોઈએ અને પ્રસાદમાં સફેદ મિઠાઈ ચઢાવવી જોઈએ.

મકરઃ

આ રાશિના જાતકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહ હોય છે. તેમણે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. સાથે જ પીળા રંગના આસન પર બેસીને પૂજા કરવી જોઈએ.

કુંભઃ

કુંભ રાશિના લોકો બીજાના ચક્કરમાં રહે છે, જેના કારણે તેમણે મુશ્કેલીઓ આવે છે. તેમણે ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ. પૂજામાં ચંદનની અગરબત્તી કરવી જોઈએ.

મીનઃ

આ રાશિના જાતકો ખૂબ જ લાપરવાહ હોય છે. તેઓ પોતાની જવાબદારીથી ભાગે છે. તેમણે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. સાથે જ શ્રીગણેશને લાડવાનો પ્રસાદ ચઢાવવો જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો