એપશહેર

ગાયત્રી મંત્ર જાપ કરવાનો આ છે શુભ સમય, થશે લાભ જ લાભ

મંત્રમાં ખાસ પ્રકારના શબ્દોની સંરચના હોય છે, જેને વિધિપૂર્વક જાપ કરવાથી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. એવું કહેવાય છે કે, સિદ્ધ મંત્રોના જાપથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મંત્ર વાસ્તવમાં બે શબ્દોનો જ હોય છે, જેના શ્વાસ-પ્રશ્વાસમાં જાપ કરી શકાય. બાકી જેને આપણે મંત્ર સમજીએ છીએ, તે તો ઋચાઓ છે અથવા શ્લોક.

I am Gujarat 10 Sep 2020, 7:04 am
મંત્રમાં ખાસ પ્રકારના શબ્દોની સંરચના હોય છે, જેને વિધિપૂર્વક જાપ કરવાથી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. એવું કહેવાય છે કે, સિદ્ધ મંત્રોના જાપથી મુક્તિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મંત્ર વાસ્તવમાં બે શબ્દોનો જ હોય છે, જેના શ્વાસ-પ્રશ્વાસમાં જાપ કરી શકાય. બાકી જેને આપણે મંત્ર સમજીએ છીએ, તે તો ઋચાઓ છે અથવા શ્લોક.
I am Gujarat which time is good for chant gayatri mantra
ગાયત્રી મંત્ર જાપ કરવાનો આ છે શુભ સમય, થશે લાભ જ લાભ


બે પ્રકારના હોય છે મંત્ર

બીજ મંત્ર સાથે પ્રયોગ કરવાથી ઋચાઓ અને શ્લોક પણ લાભકારી થાય છે. મંત્ર બે પ્રકારના હોય છે. એક મંત્ર એ છે, જેનો કોઈ પણ જાપ કરી શકે છે. બીજો એ મંત્ર છે, જે માત્ર વ્યક્તિ વિશેષ માટે હોય છે. આવો જાણીએ ગાયત્રી મંત્ર વિશે…

ગાયત્રી મંત્ર

ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।

ગાયત્રી મંત્રનો અર્થ

સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું તે તેજ અમારી બુદ્ધિને સદમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરે છે.

ગાયત્રી મંત્રના જાપનો યોગ્ય સમય

ગાયત્રી મંત્ર જાપ માટે ત્રણ સમય બતાવવામાં આવ્યા છે. જાપના સમયને સંધ્યાકાળ પણ કહેવામાં આવે છે.1. ગાયત્રી મંત્ર જાપ કરવાનો સૌથી શુભ સમય સવારનો હોય છે. સૂર્યોદયની થોડી વાર પહેલાં મંત્રનો જાપ કરવો જોઈએ. જાપ સૂર્યોદય બાદ સુધી કરવો જોઈએ.2.ગાયત્રી મંત્ર જાપ માટે બીજો શુભ સમય બપોર અને ત્રીજો સમય સાંજે સૂર્યાસ્તની થોડી વાર પહેલાનો માનવામાં આવે છે. સૂર્યાસ્ત પહેલાં મંત્ર જાપ શરૂ કરી સૂર્યાસ્તના થોડા સમય બાદ સુધી જાપ કરવો જોઈએ.3. જો સંધ્યાકાળ સિવાય ગાયત્રી મંત્રનો જાપ કરો તો મૌન રહીને કે માનસિક રીતે કરવો જોઈએ. મંત્રનો જાપ અવાજમાં ન કરવો જોઈએ.

મંત્ર જાપથી મળે છે આ લાભ

આ મંત્રનો જાપ કરવાથી મનમાં ઉત્સાહ અને સકારાત્મકતા વધે છે. એવું માનવામાં આવે છે કે, તેના જાપથી ત્વચામાં ચમક આવે છે. મનના દુર્ગુણોનો અંત આવે છે. ક્રોધ શાંત થાય છે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો