Why Shree Krishna Was Eating Peanuts Everyday During The Mahabharata War Its Secret
કેમ મહાભારત દરમિયાન શ્રીકૃષ્ણ ખાતા હતા મગફળી? છે મોટા રહસ્યની વાત
I am Gujarat10 Jun 2020, 4:38 pm
આ કારણે મહાભારતમાં યુદ્ધ પહેલા શ્રીકૃષ્ણ ખાતા હતા મગફળી
મહાભારતના યુદ્ધને હજારો વર્ષોનો સમય પસાર થઈ ગયો પરંતુ તે સમયના કેટલાક રહસ્યો આજે પણ અચંભીત કરી દે છે. આ રહસ્યોને કારણે જ આજે પણ લોકોમાં તેને જાણવાની ઉત્કંઠા જોવા મળે છે. 18 દિવસ સુધી ચાલનારા આ ધર્મયુદ્ધમાં કોરોડો યોદ્ધાઓએ ધર્મ-અધર્મના નામે ભાગ લીધો અને વિરગતિ પ્રાપ્ત કરી. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ આ મહાયુદ્ધમાં એવી લીલાઓ રચી જેનાથી માણસને જ્ઞાન અને શક્તિનો સાચો બોધ થાય. આવી જ એક અચરજ પમાડતી લીલા એટલે યુદ્ધ પહેલા દરરોજ ભગવાન મગફળી ખાતા હતા. આ રહસ્ય એટલું મોટું હતું કે ત્યારે પાંડવો પણ નહોતા જાણતા. બસ એક જ વ્યક્તિ હતા જે આ વાત જાણતા હતા અને તે હતા ઉડૂપીના રાજા. આવો આજે હવે જાણીએ આ રહસ્ય શું હતું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
યુદ્ધમાં સામેલ થયા અનેક રાજ્ય
દંતકથા અનુસાર, જ્યારે મહાભારત યુદ્ધની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે કૌરવો અને પાંડવો ધર્મ અને અધર્મના નામે યુદ્ધમાં જોડાવા માટે દેશના તમામ રાજાઓનો સહકાર માંગતા હતા. કેટલાક રાજાઓએ કૌરવોને ટેકો આપ્યો અને કેટલાક પાંડવોની સાથે રહ્યું. પરંતુ એક રાજ્ય હતું જે કોઈની તરફેણ કરતું ન હતું અને તે હતું ઉડૂપીનું રાજ.
આ રાજ્યે લીધી હતી ભોજનની જવાબદારી
ઉડૂપીના રાજા ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું કે કરોડો યોદ્ધા યુદ્ધમાં જોડાઈ રહ્યા છે. પરંતુ આ સમય દરમિયાન તેમના માટે ખોરાકની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવશે. ખોરાક વિના, યોદ્ધાઓ લાંબા સમય સુધી લડી શકતા નથી. તેથી, જો આપની આજ્ઞા હોય તો બંને પક્ષના ભોજનની વ્યવસ્થા ઉડૂપી રાજ તરફથી કરવામાં આવે. યુદ્ધમાં કોઈપણ પક્ષ હોય દરેક વ્યક્તિને સમાન રીતે ભોજન આપવામાં આવશે.
ઉડૂપીના રાજાને હતી આ ચિંતા
ભગવાન શ્રીકૃષ્ણને ઉડીપીનો રાજાનો આ પ્રસ્તાવ ગમ્યો અને તેમણે રાજાને મંજૂરી આપી દીધી. પરંતુ રાજાને બીજી સમસ્યા હતી કે દરરોજ કેટલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે? કારણ કે દરરોજ ઘણા લડવૈયાઓ મોતને ભેટવાના હતા તે તો નિશ્ચિત હતું. તેથી જો ભોજન ઓછું પડે તોસૈનિકો ભૂખ્યા રહે અને જો વધી પડે તો માતા અન્નપૂર્ણાનું અપમાન થાય.
ભગવાને રાજને જણાવ્યું રહસ્ય
ભગવાન શ્રીકૃષ્ણ ઉડૂપીના રાજાની ચિંતા સમજ્યા અને તેનું નિરાકરણ પણ આપ્યું. શ્રીકૃષ્ણે કહ્યું કે હું દરરોજ યુદ્ધ પહેલાં જેટલી બાફેલી મગફળી ખાઈશ. તે દિવસે યુદ્ધમાં તેટલા હજાર સૈનિકો વીરગતિ પ્રાપ્ત કરશે. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે ઉડૂપીના રાજાને આ રહસ્ય કહ્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણે દૂર કરી ચિંતા
ભગવાન શ્રીકૃષ્ણના આ રહસ્ય વિશે ઉડૂપીના રાજા સિવાય પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય જાણતા ન હતા. દરરોજ યુદ્ધમાં સામેલ થયેલા તમામ સૈનિકો અને યોદ્ધાઓને તેમની જરુરિયાત મુજબનું ભોજન મળી રહેતું હતું અને ક્યારેય ઘટતું પણ નહીં અને વધતું પણ નહીં.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.