એપશહેર

ધનતેરસ સાથે આજથી દિવાળીના પર્વની શરૂઆત, સોના-ચાંદીનું વેચાણ ઓછું રહેવાનો અંદાજ

Yogesh Gajjar | TNN 25 Oct 2019, 8:59 am
અમદાવાદઃ દિવાળીના પહેલા ધનતેરસના તહેવારને ધામધૂમ પૂર્વક ઉજવવા માટે લોકો તૈયાર છે. પ્રકાશના પર્વને આવકારવા માટે ઘરની સાફ-સફાઈ, ફૂલોથી સજાવટ, અલગ-અલગ ડેકોરેશન કરવું વગેરે જેવા કાર્યો થઈ ગયા છે. ઘરના આંગણામાં રંગોળી અને દીવાના જગમગાટ સાથે જીવનમાં પ્રકાશ લાવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવતના કૃષ્ણ પક્ષમાં તેરસના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવાય છે. આ દિવસે ધનના દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. વેપારી લોકો માટે ધનતેરસના તહેવાર ખાસ કહેવાય છે. લોકો ઘરની તિજોરીમાં હંમેશા છલોછલ રહે તે માટે લોકો લક્ષ્મી માતાની અને કુબેરની ખાસ પૂજા કરતા હોય છે. ધનતેરસ પર સોના-ચાંદીના દાગીના કે વાહનોની ખરીદીને વધારે શુભ માનવામાં આવે છે. જોકે આ સમયે સોનાની કિંમત વધારે હોવાના કારણે જ્વેલર્સને ધનતેરસે દાગીનાના વેચાણની સંભાવના ઓછી છે. ગુરુવારે સોનાનો 10 ગ્રામનો ભાવ 39,500 રૂપિયા રહ્યો હતો. ઉપરાંત વાહનોનું વેચાણ પણ આ વર્ષે સતત ઘટી રહ્યું છે. ત્યારે ફરીથી જોવું રહેશે કે ધનતેરસના દિવસે વાહનો અને દાગીનાનું વેચાણ વધે છે કે ઘટે છે. આજના ચોઘડિયા આ વર્ષે ધનતેરસનો તહેવાર માન, યશ, ઉગ્રતા, આવેશ, દેશભક્તિ અને સ્વાસ્થ્ય લઈને આવી રહ્યો છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં લક્ષ્મી-કુબેરનું પૂજન ફળદાયક રહેશે. પંચાગની ગણના અનુસાર આ વર્ષે ધનતેરસનો આરંભ 25મી ઓક્ટોબરે 6 વાગીને 38 મિનિટે થશે જે 26 ઓક્ટોબર બપોરે 3 કલાકને 16 મનિટ સુધી રહેશે.
  • ચલ – 6.32 થી 7.55
  • લાભ – 7.55 થી 9.18
  • અમૃત – 9.18 થી 10.42
  • કાળ – 10.42 થી 12.05
  • શુભ – 12.05 થી 13.28
  • રોગ – 13.28 થી 14.52
  • ઉદ્વેગ – 14.52 થી 16.15
  • ચલ – 16.15 થી 17.38
  • રોગ – 17.38 થી 19.15
  • કાળ – 19.15 થી 20.52
  • લાભ – 20.52 થી 22.29
  • ઉદ્વેગ – 22.29 થી 24.05

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો