એપશહેર

મહાદેવના આ મંદિરના ભૂખ્યા લોકો ક્યારેય ખાલી પેટ પાછા નથી જતા, વર્ષોથી ચાલું છે આ પરંપરા

રાત્રે સેવકો મશાલ લઈને મંદિરના દ્વાર પર ભૂખ્યા લોકોને સાદ પાડે છે, તેમને ભોજન કરાવીને જ દ્વાર બંધ કરાય છે.

I am Gujarat 7 Sep 2020, 10:29 am
દેશભરમાં મહાદેવના ઘણા પ્રાચીન મંદિરો જાણીતા છે. આ વચ્ચે કેરળના કોટ્ટયમ જિલ્લાનું વાઈકોમ મહાદેવ મંદિર દક્ષિણ ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિરમાં પોતાની સદીઓ જૂની અન્નદાનની પરંપરા આજે પણ ચાલું છે. અહીં ભક્તો દરરોજ ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે. મંદિરનું રસોડું સવાર-સાંજ 2000થી વધુ લોકો માટે ભોજન તૈયાર કરે છે. લોકોને ભોજન કરાવવાનું આ કામ મોડી રાત સુધી ચાલું રહે છે.
I am Gujarat shiva
ભગવાન શિવની પ્રતિકાત્મક તસવીર


કેરળના વાઈકોમ મહાદેવ મંદિરની તસવીર


મંદિરનો મુખ્ય દ્વારા બંધ કરતા પહેલા હાથમાં મશાલ લઈને મંદિરના સેવાદાર તમામ ચારેય ગેટ પર ઊભા રહીને બૂમ પાડે છે, શું કોઈ છે, જેમને રાતનું ભોજન નથી મળ્યું? જો કોઈ વ્યક્તિ કહે છે કે હાં, હું ભૂખ્યો છું. તો તેને ભોજન કરાવ્યા બાદ જ મંદિરના ગેટ બંધ કરવામાં આવે છે. મંદિરમાં સવાર અને સાંજ બંને ટાઈમ ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં આવે છે.

વર્ષોથી ચાલી આવતી મંદિરની આ પરંપરા આજ સુધી તૂટી નથી. આટલું જ નહીં આ લોકડાઉનમાં પણ અહીં જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું હતું. અહીં શિવને વેક્કથપ્પન અને અન્નદાના પ્રભુ નામથી ઓળખાય છે. કેરળના કેટલાક અન્ય મંદિરોમાં પણ આ પ્રકારને બપોરે અને રાત્રે ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે. તેમાં તિરુવનંતપુરમનું જાણીતું પદ્મનાભ સ્વામી મંદિર પણ સામેલ છે.

મહાદેવના મંદિરની અંદરની તસવીર


જાણતકારી મુજબ, 108 પરિવારે પેઢીઓથી મંદિરની વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સવારમાં પારંપરિક રૂપથી સ્નાન કરીને અગ્નિકુંડમાંથી કોલસા લઈને શિવજીની પૂજા કરાય છે. આ બાદ જ રસોઈનું કામ શરૂ કરાય છે. તહેવાર સમયે મંદિરમાં રોજ 3600 કિલો ભાત તૈયાર કરાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો