એપશહેર

તિરુપતિ બાલાજીને એક જ દિવસમાં આવ્યું અધધ 10 કરોડ રુપિયાનું દાન

Tirumala Tirupati Devasthanams Receives rs. 10 crore: દેશના સૌથી સમૃદ્ધ મંદિરો પૈકી એક તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન કરતી સંસ્થાને એક જ દિવસમાં રેકોર્ડરુપ રુપિયા 10 કરોડનું દાન મળ્યું છે. આ દાનમાં 7 કરોડ રુપિયા તો એક વ્યક્તિએ જ દાન કર્યા છે. જ્યારે બીજા ત્રણ કરોડ ત્રણ અલગ અલગ કંપનીઓ દ્વારા દાન કરવામાં આવ્યા છે.

Edited byMitesh Purohit | TNN 7 Jun 2022, 3:29 pm
તિરુપતિઃ દેશના સૌથી સમૃદ્ધ મંદિર પૈકી એક તિરુપતિ બાલાજી (Tirupati Balaji Temple) ઘણીવાર પોતાને મળતા દાનના (Donation in Temple) કારણે ચર્ચામાં આવ્યું છે. પછી તે લાખો રુપિયાના સોનાના આભુષણો હોય કે મોંઘા હીરા જવેરાત હોય. જોકે આ વખતે એક અલગ જ રેકોર્ડ બન્યો છે. જેમાં મંદિરનું સંચાલન કરતી મુખ્ય સંસ્થા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (Tirumala Tirupati Devasthanams)ના જુદા જુદા ટ્રસ્ટને એક જ દિવસમાં દાન પેટે કુલ રુ. 10 કરોડ (Rs. 10 Crore Donation to Tirupati Devasthanams) મળ્યા છે. જોકે આ દાન અલગ અલગ વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવ્યું છે. પરંતુ આ રીતે એક જ દિવસમાં 10 કરોડ રુપિયાનું દાન જુદા જુદા વ્યક્તિઓ અને કંપનીએ મળીને કર્યું હોય તેવું બન્યું નથી.
I am Gujarat tirupati temple
તિરુપતિ બાલાજી મંદિરને એક જ દિવસમાં રુ. 10 કરોડનું દાન આવ્યું. જેમાં એક વ્યક્તિએ કુલ રુ. 7 કરોડ દાનમાં આપ્યા હતા. જ્યારે બાકીના 3 કરોડ રુપિયા જુદી જુદી કંપનીઓ દ્વારા આવ્યા.


મળતી માહિતી મુજબ તામિલનાડુના તુરનેલવેલીના રહેવાસી ગોપાલ બાલા ક્રિશ્નન નામના એક ભક્તે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પ્રાણદાન ટ્રસ્ટ, ગોસંરક્ષણ ટ્રસ્ટ, બાલાજી ઇન્સ્ટિટ્યુટ ઓફ સર્જરી રિસર્ચ એન્ડ રિહેબિલિટેશન ફોર ધ ડિસેબલ્ડ (BIRRD), વેદ પરિક્ષણ ટ્રસ્ટ, અન્ના પ્રસાદમ ટ્રસ્ટ સર્વ શ્રેયસ ટ્રસ્ટ, અને શ્રી વેંકટેશ્વર ભક્તિ ચેનલ (SVBC) પ્રત્યેકને 1-1 કરોડ દાનમાં આપ્યા છે. આમ આ ભક્તે કુલ 7 કરોડ રુપિયા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને દાન કર્યા છે.

જ્યારે તિરુનેલવેલી સ્થિતિ અન્ય ત્રણ કંપનીઓ દ્વારા 1-1 કરોડ રુપિયાનું દાન આવ્યું છે. આમ 7 કરોડ અને 3 કરોડ મળીને કુલ મંદિર સંસ્થાને એક જ દિવસમાં 10 કરોડ રુપિયાનું દાન મળ્યું છે. જેમાં મે\સ એ-સ્ટાર ટેસ્ટિંગ એન્ડ ઇન્સ્પેક્શન પ્રા. લિ. દ્વારા રુપિયા 1 કરોડનું દાન શ્રી વેંકટેશ્વર વિદ્યાદાન ટ્રસ્ટ આપવામાં આવ્યું છે. તો બીજી કંપની બાલકૃષ્ણ ફ્યુઅલ સ્ટેશને શ્રી વેંકટેશ્વર અલયાલા નિર્માણ ટ્રસ્ટને 1 કરોડનું દાન આપ્યું હતું. આ ઉપરાંત ત્રીજી કંપની સી હબ ઇન્સ્પેક્શન સર્વિસે શ્રી વેંકટેશ્વર હેરિટેજ પ્રિઝર્વેશન ટ્રસ્ટને 1 કરોડનું દાન આપ્યું હતું. આમ કુલ 3 કરોડ રુપિયાનું દાન આ કંપનીઓએ કર્યું હતું. તેવામાં એક ભક્ત દ્વારા દાનમાં આપવામાં આવેલા 7 કરોડ અને આ ત્રણ કરોડ મળીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને કુલ 10 કરોડ રુપિયાનું દાન મળ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો