એપશહેર

ભારતમાં લૉકડાઉન : સચિન-વિરાટ સહિત ક્રિકેટ જગતે કર્યું સમર્થન, દેશવાસીઓને કરી આ અપીલ

Shailesh Thakkar | Agencies 25 Mar 2020, 12:02 am
નવી દિલ્હી: ચીનથી ફેલાયેલા કોરોના વાયરસના ખતરના ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આખા દેશમાં 21 દિવસનું ઘોષિત કર્યું. પીએમ મોદીના આ નિર્ણયને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સપોર્ટ કર્યો. તેણે દેશવાસીઓને અપીલ કરી કે, મહેરબાની કરીને ઘરે જ રહે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોPM મોદીએ મંગળવારે રાતે 8 વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરતા કહ્યું કે, ‘હું જાણું છું કે, આ ખૂબ જ અઘરો નિર્ણય છે પણ તમને બચાવવા માટે આ દેશને બચાવા માટે આ કપરો નિર્ણય લેવો જ પડશે.’ત્યારબાદ વિરાટે સોશિયલ મીડિયા પર લખ્યું,’જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી કે, આખો દેશ 21 દિવસ સુધી લૉકડાઉનમાં રહેશે. મારી પણ તમને અપીલ છે કે, પ્લીઝ ઘરે જ રહો. સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોવિડ-19થી બચવાનો એકમાત્ર ઉપાય છે.’
‘ગોડ ઑફ ક્રિકેટ’ના નામે જાણીતા સચિન તેંડુલકરે પણ પીએમ મોદીના આ નિર્ણયનો સપોર્ટ કર્યો.
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ‘અત્યારે આની જરૂર છે. સૌથી શાનદાર નેતૃત્વ.’
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને પણ આને સપોર્ટ કર્યો. તેણે પોતાના ‘હિન્દી ટીચર’ ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીની મદદથી હિન્દીમાં એક પોસ્ટ શેર કરી.
આ ઉપરાંત પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ, ભારતીય સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ અને ઑફ સ્પિનર રવીચંદ્રન અશ્વિને પણ બધાને ઘરે રહેવાની અપીલ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો