એપશહેર

ભારત માટે હજી એક વખત રમશે ધોની? BCCIના અધિકારીએ જણાવી મોટી વાત

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે પરંતુ....

I am Gujarat 19 Aug 2020, 6:33 pm
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વતંત્રતા દિવસે શનિવારે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આમ તો ઘણા સમયથી ધોનીની નિવૃત્તિની અટકળો ચાલી રહી હતી પરંતુ માનવામાં આવતું હતું કે ધોની કોઈ સિરીઝ રમીને નિવૃત્તિ લેશે. એવું કહેવામાં આવતું હતું કે ધોની આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ બાદ ક્રિકેટને અલવિદા કહેશે પરંતુ કોરોના વાયરસના કારણે વર્લ્ડ કપ રદ્દ કરવામાં આવ્યો. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક અધિકારીનું માનવામાં આવે તો બોર્ડ ધોની માટે ફેરવેલ મેચ રમાડી શકે છે.
I am Gujarat bcci willing to host a farewell match for dhoni
ભારત માટે હજી એક વખત રમશે ધોની? BCCIના અધિકારીએ જણાવી મોટી વાત


ધોની માટે રમાડવામાં આવશે ફેરવેલ મેચ?

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું છે કે બોર્ડ ધોની માટે એક ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. આગામી મહિનાથી શરૂ થઈ રહેલી આઈપીએલ દરમિયાન બોર્ડ ધોની સાથે આ અંગે વાતચીત કરશે અને બાદમાં તે પ્રમાણે કાર્યક્રમ નક્કી કરશે. નોંધનીય છે કે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે પરંતુ તે આઈપીએલમાં રમવાનું જારી રાખશે.

ધોની આ સન્માનનો હકદાર છે

અધિકારીએ જણાવ્યું છે કે હાલમાં કોઈ આંતરરાષ્ટ્રીય સિરીઝ નથી. આઈપીએલ પછી શું થઈ શકે છે તે અંગે અમે વિચારીશું. ધોનીએ ભારતીય ક્રિકેટ માટે ઘણું યોગદાન આપ્યું છે અને તે આ સન્માનનો હકદાર છે. અમે હંમેશા તેના માટે એક ફેરવેલ મેચ ઈચ્છતા હતા, પરંતુ ધોનીએ અલગ ખેલાડી છે. જ્યારે તેમણે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી તો કોઈએ આ અંગે વિચાર્યું ન હતું.

આઈપીએલ દરમિયાન કરીશું વાતચીત

ધોનીએ આ અંગે કંઈ કહ્યું છે તે પૂછતા અધિકારીએ જણાવ્યું છે કે, ધોનીએ આ અંગે હજી કોઈ વાતચીત કરી નથી. પરંતુ ચોક્કસથી અમે આઈપીએલ દરમિયાન અમે તેની સાથે વાતચીત કરીશું અને મેચ કે સિરીઝ અંગે તેનો મેત લેવા માટે આ જ યોગ્ય જગ્યા હશે. જોકે, તે સહમત થશે કે નહીં પરંતુ તેના માટે યોગ્ય સન્માન સમારંભ યોજવામાં આવશે. તેમને સન્માનીત કરવો અમારા માટે ગર્વની વાત હશે.

મદન લાલે કર્યું હતું સમર્થન

ભૂતપૂર્વ ક્રિકેટર મદન લાલે પણ ધોની માટે એક ફેરવેલ મેચના આયોજનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે બીસીસીઆઈ ધોની માટે ફેરવેલ મેચનું આયોજન કરશે તો મને ઘણી ખુશી થશે. તે એક મહાન ખેલાડી છે અને તમે તેને આવી રીતે જવા દઈ શકો નહીં. તેના ચાહકો તેને એક્શનમાં જોવા ઈચ્છશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો