એપશહેર

રોહિત અને ઈશાંત ઓસ્ટ્રેલિયા જવાના જ ન હતા, ખોટી માહિતી ફેલાવાઈ: BCCI

રોહિત શર્મા અને ઈશાંત શર્મા ઓસ્ટ્રેલિયામાં પ્રવાસે નથી ગયા. તેને લઈને ઘણી વાતો થઈ રહી છે, ત્યારે બીસીસીઆઈએ આ બાબતે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું છે.

TNN 25 Nov 2020, 11:41 pm
મુંબઈ: રોહિત શર્મા અને ઈશાંત શર્મા ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા જવાના ન હોવાને લઈને ઉઠેલા વિવાદ પર બીસીસીઆઈએ સ્થિતિ સ્પષ્ટ કરી છે. બોર્ડ તરફથી કહેવાયું છે કે, 'રોહિત અને ઈશાંત આમ પણ ટીમનો ભાગ ન હતા, ચાર ટેસ્ટ મેચો માટે 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરાઈ છે. હવે જ્યારે વિરાટ કોહલી પાછો આવી રહ્યો છે, તો અમને આશા છે કે, શ્રેયસ ઐય્યર ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયામાં જ રોકાશે.'
I am Gujarat Rohit Sharma and Ishant Sharma


અમારા સહયોગી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રોહિતની ફિટનેસનું આંકલન 11 ડિસેમ્બરે કરાશે. તે પછી જ નક્કી થશે કે તે ટેસ્ટ મેચ રમવા લાયક છે કે નહીં.

મામલાને નજીકથી જોઈ રહેલા સૂત્રએ કહ્યું કે, 'હવે સમસ્યા એ છે કે ઓસ્ટ્રેલિયામાં 14 દિવસનું ક્વારન્ટાઈન કરવું જરૂરી છે. જો રોહિતને 12 તારીખે જવાની મંજૂરી મળી જાય તો પણ તે કઈ રીતે જશે? કોઈ કોમર્શિયલ ફ્લાઈટ પણ નથી જઈ રહી. જો તે જતો પણ રહે તો તેણે બે અઠવાડિયા સુધી એકલા ક્વારન્ટાઈનમાં રહેવું પડશે. તે ક્યારે ઉપલબ્ધ થશે તે ફિટનેસનો સવાલ છે.'

જો રોહિત ટેસ્ટ મેચ રમવા ઈચ્છતો હોત અને તેને ફિટ હોવાનો પૂરો વિશ્વાસ હોત, તો તે ટીમની સાથે 12 નવેમ્બરે જ ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હોત.

બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે, 'રોહિતે બાકી ટીમની સાથે જ 12 નવેમ્બરે ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ તેણે એવું કરવાને બદલે નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ) જવાનો નિર્ણય કર્યો.'

હવે બીસીસીઆઈના પોતાના નિયમો મુજબ, રોહિતે ટેસ્ટ રમતા પહેલા ફિટ જાહેર થવાની જરૂર છે. બીસીસીઆઈએ કહ્યું કે, 'બીસીસીઆઈમાં કોઈ નથી જાણતું કે રોહિતને નેશનલ ક્રિકેટ એકેડમી જવાનું કોણે કહ્યું. હવે નિર્ણય એનસીએએ કરવાનો છે.'

કેટલાક લોકોનું માનવું છે કે રોહિત જો બાકીની ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો હોત. તો રીહેબ કરી લેત અને ફિટ થઈ જાત તો બીજી ટેસ્ટમાં રમી શક્યો હોત, કેમકે તે જરૂરી ક્વારન્ટાઈનનો સમય પૂરી કરી લેત.

નજીકના સૂત્રોએ જણાવ્યું કે, 'જે પણ કન્ફ્યુઝન રહ્યું હોય, તેણે ટીમની તૈયારીઓને નુકસાન પહોંચાડ્યું છે. વિરાટને પાછા આવવું પડશે, કેમકે તેનું કારણ પર્સનલ અને ઘણું જરૂરી છે. રોહિતે અગાઉના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ આવું જ કહ્યું હતું. કમનસીબની વાત છે કે, કોમ્યુનિકેશન ન થવાથી ટીમને નુકસાન સહન કરવું પડ્યું.'

બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે, રોહિત અને ઈશાંત ઓસ્ટ્રેલિયા જવાના જ ન હતા. સૂત્રએ કહ્યું કે, 'જો કોઈ ખોટી વાતો ફેલાવી રહ્યું છે તો તે સારી વાત નથી.'

જ્યાં સુધી ઈશાંતની વાત છે કે, તો તેનો નિર્ણય એક મહિના પહેલા કરાયો હતો. ત્યારે એનસીએ ડિરેક્ટર રાહુલ દ્રવિડે બીસીસીઆઈના અધિકારીઓને લખ્યું હતું કે, 'ઈશાંતને ફિટ થવા માટે લગભગ ચાર સપ્તાહનો સમય લાગશે અને તે પછી મેચ ફિટનેસ મેળવવા માટે તેમને વધુ ચાર સપ્તાહનો સમય લાગશે.' એટલે કે 17 ડિસેમ્બરે (પહેલી ટેસ્ટ શરૂ થવાની તારીખ) સુધી તે સંપૂર્ણ ફિટ થઈ જશે.

બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે, 'તે પછી તેણે 14 દિવસ ક્વારન્ટાઈન રહેવું પડશે. તે પછી શું? અને એકલા ક્વારન્ટાઈન રહેવું ઘણું મુશ્કેલ કામ છે. જ્યાં સુધી તે સાજા થશે, ત્રણ ટેસ્ટ મેચ પૂરી થઈ જશે. શું ટીમે ખરેખર તેની જરૂર છે?'

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બીસીસીઆઈના અધિકારીઓએ રોહિતને જણાવી દીધું હતું કે, વિરાટ કોહલી પાછો આવ્યા પછી તેને ઓસ્ટ્રેલિયા જવાનું છે, પરંતુ રોહિતને જાણ હતી કે, તેને બ્રેક લેવાની જરૂર પડશે.

નજીકના સૂત્રોએ જણાવ્યું કે, 'એ બીસીસીઆઈનો નિર્ણય ન હતો. અમને નથી ખબર કે કોણ આવું કરી રહ્યું છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો