એપશહેર

જાડેજાની જગ્યા લઈને ડેબ્યૂ કરવાનો હતો અક્ષર પટેલ, પણ મેચ શરુ થતા પહેલા જ ટીમમાંથી બહાર

એવું તો શું થઈ ગયું કે અંતિમ સમયે રવિન્દ્ર જાડેજા જેવા ગણાતા અક્ષર પટેલને બહાર કાઢવામાં આવ્યો?

I am Gujarat 5 Feb 2021, 8:51 am
ચેન્નાઈઃ ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ શરુ થવાના થોડા સમય પહેલા જ ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મેચના થોડા સમય પહેલા જ આ વિશેની માહિતી આપી છે. આ સિવાય શાહબાજ નદીમ અને રાહુલ ચાહરને ટીમમાં જોડવામાં આવ્યા છે. આ બન્ને સ્ટેન્ડ બાય તરીકે ટીમની સાથે રહેશે. બીસીસીઆઈ દ્વારા અક્ષરને શા માટે બહાર કરવામાં આવ્યો તે અંગેનું કારણ ટ્વીટ કરીને પણ જણાવ્યું છે.
I am Gujarat axar patel ruled out of first test and shahbaz nadeem rahul chahar added to india squad
જાડેજાની જગ્યા લઈને ડેબ્યૂ કરવાનો હતો અક્ષર પટેલ, પણ મેચ શરુ થતા પહેલા જ ટીમમાંથી બહાર


માનવામાં આવી રહ્યું હતું કે અક્ષર પટેલ ઈંગ્લેન્ડ સામે આજે ટેસ્ટ ડેબ્યુ કરશે. આ પહેલા કેપ્ટને કહ્યું હતું કે બોલિંગમાં ઓલરાઉન્ડરને સમર્થન આપીશું. આ સિવાય કોહલીએ એમ પણ કહ્યું હતું કે જાડેજાની ગેરહાજરીમાં જોવા જઈએ તો અક્ષપ પટેલ તેની જગ્યા પર ફીટ બેસે છે.


કોહલીએ એમ પણ કહ્યું હતું કે, અમને જાહેજાની ગેરહાજરીમાં તેના જેવો જ ખેલાડી જોઈએ જે ગેમના ત્રણે પાર્ટમાં તેના જેવી સ્કીલ ધરાવતો હોય. જાડ્ડુ (રવિન્દ્ર જાડેજા) ઉપલબ્ધ નથી માટે અક્ષરને પ્રાથમિકતા મળશે કારણ કે તે મેદાન પર તેના જેવી જ કુશળતા લઈને આવે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ ઘણી જ રોમાંચક રહેવાની આશા છે. બન્ને ટીમોએ પોતાની પાછલી સીરિઝમાં જીત મેળવી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો છે ત્યારે ઈંગ્લેન્ડે શ્રીલંકાને માત આપી છે. બન્ને ટીમો વચ્ચે આ સીરિઝ કેટલાક ખેલાડીઓના કારણે વધારે રોચક બની શકે છે. ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં અને અંતિમ ટેસ્ટમાં પંતની કમાલના કારણે ટેસ્ટ સીરિઝમાં જીત મેળવી હતી જેના કારણે ભારતીય ટીમ એક નવા જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે.

Read Next Story