કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તેમને છાતીમાં દર્દની ફરિયાદ પછી કોલકાતાના એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ બીજીવાર આવું થયું છે જ્યારે તેમને છાતીમાં દુઃખાવો થયો હોય. સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી ફેન્સ 'દાદા' જલદીથી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યાં છે.
કરાવી હતી એન્જિયોપ્લાસ્ટી
આ પહેલા પણ સૌરવ ગાંગુલીને અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ગાંગુલીને ત્યારે હળવો એટેક આવ્યો હતો. પૂર્વ ભારતીય કેપ્ટનને 2 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે જ વર્કઆઉટ દરમિયાન આ મુશ્કેલી થઈ હતી. ગાંગુલીને છાતીમાં દુઃખાવા પછી એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. તે સમયે ડોક્ટર્સે જણાવ્યુ હતું કે ગાંગુલીને ત્રણ બ્લોકેજ હતા અને તેને દૂર કરવા માટે સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સૌરવ ગાંગુલી ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સમાંથી એક ગણવામાં આવે છે. એક સમયે જ્યારે પણ સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલી ઓપનિંગમાં ઉતરતાં હતાં ત્યારે આ જોડીને સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન માનવામાં આવતા હતાં.
પહેલા પણ આવી ચૂક્યો હળવો એટેક
ગાંગુલીને ત્યારે પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં સારવારમાં રહેવું પડ્યું હતું. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કોલકાતાના વુડલેન્ડ્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી સૌરવ ગાંગુલીએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'હવે હું સમગ્ર રીતે સ્વસ્થ છું. હું સારવાર માટે હોસ્પિટલમાં ડોક્ટર્સનો પણ આભાર વ્યકત કરું છું. હવે હું બિલકુલ સ્વસ્થ છું.'
કરાવી હતી એન્જિયોપ્લાસ્ટી
આ પહેલા પણ સૌરવ ગાંગુલીને અચાનક જ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ગાંગુલીને ત્યારે હળવો એટેક આવ્યો હતો. પૂર્વ ભારતીય કેપ્ટનને 2 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે જ વર્કઆઉટ દરમિયાન આ મુશ્કેલી થઈ હતી. ગાંગુલીને છાતીમાં દુઃખાવા પછી એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. તે સમયે ડોક્ટર્સે જણાવ્યુ હતું કે ગાંગુલીને ત્રણ બ્લોકેજ હતા અને તેને દૂર કરવા માટે સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સૌરવ ગાંગુલી ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સમાંથી એક ગણવામાં આવે છે. એક સમયે જ્યારે પણ સચિન તેંદુલકર અને સૌરવ ગાંગુલી ઓપનિંગમાં ઉતરતાં હતાં ત્યારે આ જોડીને સર્વશ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન માનવામાં આવતા હતાં.
પહેલા પણ આવી ચૂક્યો હળવો એટેક
ગાંગુલીને ત્યારે પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં સારવારમાં રહેવું પડ્યું હતું. ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કોલકાતાના વુડલેન્ડ્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી સૌરવ ગાંગુલીએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 'હવે હું સમગ્ર રીતે સ્વસ્થ છું. હું સારવાર માટે હોસ્પિટલમાં ડોક્ટર્સનો પણ આભાર વ્યકત કરું છું. હવે હું બિલકુલ સ્વસ્થ છું.'