એપશહેર

ઈંગ્લેન્ડ સિરીઝ માટે આજે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ખેલાડીઓની ઈજા મોટો પડકાર

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે મંગળવારે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે

I am Gujarat 18 Jan 2021, 11:53 pm
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિનેથી ઘરઆંગણે રમાનારી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી 19 જાન્યુઆરી મંગળવારે કરવામાં આવશે. ચેતન શર્માની આગેવાનીવાળી નવી પસંદગી સમિતિ વધારે પ્રયોગ કરવા ઈચ્છશે નહીં કેમ કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર હાજર ફિટ ખેલાડી ટીમમાં સ્થાન મેળવવા માટે હકદાર હશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારત પોતાની યજમાનીમાં 5 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે. જોકે, પસંદગીકારો માટે ખેલાડીઓની ઈજા સૌથી મોટી મુશ્કેલી હશે કેમ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એક ટીમ બને તેટલા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે.
I am Gujarat england series selection virat kohli ishant sharma set to be back eyes on bumrah and ashwins fitness
ઈંગ્લેન્ડ સિરીઝ માટે આજે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ખેલાડીઓની ઈજા મોટો પડકાર


વિરાટ કોહલી અને ઈશાન્તનું પુનરાગમન નક્કી

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પોતાના પ્રથમ બાળકના જન્મ માટે પેટરનિટી લીવ પર છે. જ્યારે ઝડપી બોલર ઈશાન્ત શર્મા ઈજામુક્ત થયા બાદ પુનરાગમન કરશે. જસપ્રિત બુમરાહ પણ ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટ રમી રહ્યો નથી જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ઈજાગ્રસ્ત છે. બુમરાહ અને અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં રમી રહ્યા નથી. પરંતુ તેમની ઈજા વધારે ગંભીર નથી અને આરામ મળવાના કારણે તેઓ ઝડપથી સાજા થઈ જશે. તેથી તેઓ 5 ફેબ્રુઆરીથી ચેન્નાઈમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે પસંદગી માટે ઉપલબ્ધ હશે.

ઘણા ખેલાડી ઈજાગ્રસ્ત થયા છે

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઝડપી બોલર મોહમ્મદ શમીના ખભામાં ફ્રેક્ચર છે. જ્યારે ઓલ-રાઉન્ડર રવીન્દ્ર જાડેજાના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. ઉમેશ યાદવના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે તો સિડની ટેસ્ટના હિરો રહેલા હનુમા વિહારીના પણ સ્નાયુઓમાં ખેંચાણ આવી ગયું છે. તેથી આ ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ નથી. ચેન્નઈમાં રમાનારી પ્રથમ બે ટેસ્ટ (5થી 9 અને 13થી 17 ફેબ્રુઆરી) માટે ભારતીય ટીમને 27 જાન્યુઆરીએ બાયો-બબલમાં દાખલ થવાનું છે.

શાર્દૂલ ઠાકુર અને નટરાજન રિઝર્વ બોલર હશે

ભારતીય પસંદગી સમિતિ પ્રથમ બે ટેસ્ટ માટે 16થી 18 ખેલાડીઓ ઉપરાંત કેટલાક નેટ બોલર્સની પસંદગી પણ કરી શકે છે. ઈશાન્ત સાઈડ સ્ટ્રેનની ઈજામાંથી મુક્ત થઈને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દ્વારા સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફર્યો છે અને તે સારા ફોર્મમાં જોવા મળ્યો છે. બુમરાહ અને મોહમ્મદ સિરાજની સાથે તે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે જ્યારે શાર્દૂલ ઠાકુર અને નટરાજન રિઝર્વ બોલર રહેશે.

વિકેટકીપર તરીકે પંત અને સહાનો થશે સમાવેશ

સ્પિન બોલિંગમાં જાડેજાના સ્થાને શાહબાઝ નદીમને સામેલ કરવામાં આવી શકે છે. તેણે 2019મા સાઉથ આફ્રિકા વિરુદ્ધ એક ટેસ્ટ મેચ રમી હતી. અશ્વિનની હાજરી તથા ઓસ્ટ્રેલિયામાં વોશિંગ્ટન સુંદરના પ્રભાવશાળી પ્રદર્શન બાદ કુલદીપ યાદવ ટીમમાં રિઝર્વ સ્પિન બોલર છે. વિકેટકીપિંગમાં રિદ્ધિમાન સહાઅને રિશભ પંત હશે જ્યારે રિઝર્વ બેટ્સમેન તરીકે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલમાંથી કોઈ એકને સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ ઓપનર પૃથ્વી શોનું સ્થાન જોખમમાં છે.

Read Next Story