એપશહેર

33 વર્ષીય ક્રિકેટરનું હાર્ટ અટેકના કારણે નિધન, ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચે આ રીતે કર્યો યાદ

અશ્વિન યાદવના નિધનના સમાચાર સાંભળીને દુ:ખી છું. તે ખૂબ હસમુખ અને સંપૂર્ણરીતે 'ટીમ મેન' હતો.

I am Gujarat 24 Apr 2021, 8:31 pm

હાઈલાઈટ્સ:

  • અશ્વિન યાદવનું શનિવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું
  • તેની ઉંમર 33 વર્ષ હતી. તેના પરિવારમાં પત્ની અને 3 દીકરા છે
  • અશ્વિન યાદવના ચહેરા પર હંમેશાં સ્માઈલ રહેતી હતી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat w1
હૈદરાબાદ: હૈદરાબાદના પૂર્વ ઝડપી બૉલર અશ્વિન યાદવનું શનિવારે હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. તેની ઉંમર 33 વર્ષ હતી. તેના પરિવારમાં પત્ની અને 3 દીકરા છે.
મોહાલીમાં પંજાબ વિરુદ્ધ વર્ષ 2007માં રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરનાર અશ્વિન યાદવ 14 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો અને તેમાં 34 વિકેટ ઝડપી. ઉપ્પલ સ્ટેડિયમમાં વર્ષ 2008-09 સત્રમાં દિલ્હી વિરુદ્ધ તેણે 52 રન આપીને 6 વિકેટ ઝડપી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

તેની અંતિમ રણજી મેચ વર્ષ 2009માં મુંબઈ સામે હતી. તે સ્થાનિક લીગમાં સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ અને પછી એસબીઆઈ માટે રમતો રહ્યો. તેણે 10 લિસ્ટ એ અને બે ટી20 મેચ પણ રમી હતી.

ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે અશ્વિન યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે અશ્વિન યાદવના નિધનના સમાચાર સાંભળીને દુ:ખી છું. તે ખૂબ હસમુખ અને સંપૂર્ણરીતે 'ટીમ મેન' હતો. હું ભગવાન પાસે એવી પ્રાર્થના કરુ છું કે તેના પરિવારને તાકાત મળે. ઓમ શાંતિ. તારી અછત સર્જાશે.

ઑફ સ્પિનર વિશાલ શર્મા કે જે તેના સાથેનો પ્લેયર હતો તેણે કહ્યું કે અશ્વિન યાદવના ચહેરા પર હંમેશાં સ્માઈલ રહેતી હતી. તેણે કહ્યું કે તે 'ટીમ મેન' હતો અને સ્થાનિક લીગમાં રમ્યો. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેનું નિધન થઈ ગયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો