એપશહેર

તો વન-ડે અને ટી20 ટીમમાંથી પણ બહાર થઈ જશે હાર્દિક પંડ્યા!

ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટેસ્ટ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે

I am Gujarat 14 May 2021, 5:42 pm
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાને સામેલ કર્યો નથી. ભૂતપૂર્વ પસંદગીકાર સરનદીપ સિંહે વર્તમાન પસંદગી સમિતિના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે જો હાર્દિક પંડ્યા બોલિંગ નહીં કરી શકે તો વન-ડે અને ટી20 ટીમમાં પણ તેનું સ્થાન જોખમમાં આવી શકે છે.
I am Gujarat hardik pandya18

બુમરાહની કારકિર્દી ઘડવામાં આ વિદેશી ખેલાડીએ ભજવી મહત્વની ભૂમિકાહાર્દિક પંડ્યાએ 2019માં પીઠની સર્જરી કરાવી હતી અને ત્યારબાદ કમબેક કર્યા પછી તે નિયમિત બોલિંગ કરી રહ્યો નથી. જેના કારણે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ગત વર્ષે ભારતના ઐતિહાસિક ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ સરનદીપનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. જોકે, તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ઓપનર પૃથ્વી શોને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો નથી.

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર સરનદીપે જણાવ્યું હતું કે, ટેસ્ટ ટીમમાં હાર્દિક પંડ્યાની અવગણના કરવી સમજી શકાય તેમ છે. સર્જરી બાદ તે નિયમિત રીતે બોલિંગ કરી શકતો નથી. મને લાગે છે કે તેણે ટૂંકા ફોર્મેટની ટીમોમાં પણ સ્થાન જાળવી રાખવા માટે વન-ડેમાં 10 ઓવર અને ટી20માં ચાર ઓવર કરવી જરૂરી છે. તે ફક્ત બેટ્સમેન તરીકે રમી શકે નહીં.
'સાઈડ શો'માં ઉસ્તાદ છે ભારત, અમારું ધ્યાન ભંગ થવાથી પરાજય થયો હતોઃ ટિમ પેઈનજો હાર્દિક બોલિંગ ન કરે તો ટીમના સંતુલનને મોટો ફટકો પડશે. જેના કારણે તમારે વધારાના બોલર સાથે રમવું પડશે અને તેના કારણે સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીને ટીમની બહાર રહેવું પડી શકે છે. આપણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં જોયું તેમ આપણે પાંચ બોલર સાથે રમી શકીએ નહીં, તેમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત ટીમમાં અન્ય ઓલ-રાઉન્ડર્સ છે. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ જેવા ઓલ-રાઉન્ડર હવે ટીમ પાસે છે. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ પણ પુનરાગમન કર્યું છે. શાર્દૂલ ઠાકુર પણ ઓલ-રાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે. તેથી જો હાર્દિક પંડ્યા બોલિંગ ન કરે તો આ ખેલાડીઓ તૈયાર છે, તેમ તેમણે કહ્યું હતું.

પૃથ્વી શો અંગે વાત કરતા સરનદીપે જણાવ્યું હતું કે, પૃથ્વી શો જેવા બેટ્સમેનને ઝડપથી સાઈડલાઈન કરવો અયોગ્ય છે. વીરેન્દ્ર સહેવાગે ભારત માટે જે કર્યું હતું તે કરવા માટે શો સક્ષમ છે. તમે તેની કારકિર્દીના શરૂઆતના જ તબક્કે સાઈડલાઈન કરી શકો નહીં. ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા બધા રન નોંધાવ્યા છે. તેણે પોતાની ટેકનિકલ ખામી સુધારી દીધી છે અને આઈપીએલમાં આપણે બધાએ તેની બેટિંગ જોઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો