એપશહેર

ઘરે પાછા આવેલા કોહલી પર ગાવસ્કરનો કટાક્ષ, કહ્યુંઃ અશ્વિન-નટરાજન માટે 'અલગ નિયમ' કેમ?

I am Gujarat 24 Dec 2020, 11:46 am
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના એક નિવેદન બાદ ટીમ ઈન્ડિયામાં જુદા જુદા ખેલાડીઓ સાથે ભેદભાદ કરાતો હોવાની વાત ચર્ચામાં આવી ગઈ છે. સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે આર. અશ્વિન અને ટી.નટરાજન જેવા ખેલાડીઓ સાથે ભેદભાદ યુક્ત વર્તન કરાય છે અને ટીમમાં 'જુદા જુદા ખેલાડીઓ માટે નિયમ અલગ-અલગ છે.'
I am Gujarat team 1


પૂર્વ ભારતીય ઓપનરે કહ્યું કે, ખૂબ લાંબા સમય સુધી અશ્વિનને પોતાની બોલિંગ ક્ષમતાના કારણે નુકસાન નથી થયું. પરંતુ મીટિંગ દરમિયાન સ્પષ્ટતાવાદી અને પોતાનું મગજ દોડાવવાના કારણે તેને સહન કરવું પડ્યું છે. જ્યારે આ જ મીટિંગમાં અન્ય લોકો રાજી ન હોવા છતાં માથુ હલાવી દે છે.

સ્પોર્ટસ્ટાર માટે લખેલી કોલમમાં ગાવસ્કર વધુમાં કહે છે, 'કોઈપણ અન્ય દેશ ટેસ્ટમાં 350થી વધારે વિકેટો અને ટેસ્ટ સેન્ચુરી હોય તેનું સ્વાગત કરે છે. પરંતુ જો અશ્વિનને એક મેચમાં વિકેટો ન મળે તો, હંમેશા તેની આગામી મેચમાં બેસાડી દેવામાં આવે છે. આ અન્ય કોઈ જાણીતા ભારતીય બેટ્સમેન સાથે નથી થતું. જો તે એક મેચમાં પણ નિષ્ફળ જાય છે તો તેમને બીજી મેચમાં તક મળી જાય છે. પરંતુ અશ્વિન માટે નિયમો અલગ હોય તેમ લાગી રહ્યું છે.'

ગાવસ્કર વધુમાં ઉમેરે છે કે, 'નટરાજનને માત્ર નેટ બોલર તરીકે લિમિટેડ ઓવર્સની સીરિઝમાં રોકાવા માટે દબાણ કરાય છે, જેનો તે માત્ર 15 દિવસ પહેલા જ ભાગ બન્યો હતો. અન્ય ખેલાડી જેને આ નિયમો જોઈને નવાઈ લાગશે, પરંતુ અવાજ નહીં કરી શકે, કારણ કે તે નવો છે. આ છે નટરાજન. લેફ્ટ-આર્મ યોર્કર સ્પેશ્યાલિસ્ટ ખેલાડીએ ટી-20માં સારું પ્રદર્શન કર્યું. હાર્દિક પંડ્યાએ પણ પોતાની મેન ઓફ ધ ટી-20 સીરિઝ તેની સાથે શેર કરી. આ દરમિયાન તે IPLમાં પ્લેઓફ સમયે પહેલીવાર પિતા બન્યો હતો. તેને UAEથી સીધા જ ઓસ્ટ્રેલિયા લઈ જવાય છે અને જુઓ તેનું શાનદાર પ્રદર્શન. તેને ટેસ્ટ સીરિઝમાં પણ રોકાવા માટે કહેવાય છે, ટીમના એક ભાગ તરીકે નહીં પરંતુ નેટ્સ બોલર તરીકે. આ વિચારો.'

તેઓ વધુમાં લખે છે, એક મેચ વિનરને અન્ય ફોર્મેટમાં માત્ર નેટ બોલર બનવા માટે કહેવાય છે. આથી તે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં સીરિઝ ખતમ થયા બાદ જ ઘરે આવી શકશે અને પોતાની દીકરીને પહેલીવાર જોઈ શકશે. અને બીજી બાજું કેપ્ટન છે જે પોતાના પહેલા બાળકના જન્મ માટે ઘરે પાછો જઈ રહ્યો છે. આ ભારતીય ક્રિકેટ છે. અલગ-અલગ નિયમો અલગ-અલગ પ્રકારના લોકો માટે. જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો રવિચંદ્રન અશ્વિન અને ટી. નટરાજનને પૂછી લો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો