એપશહેર

IND Vs SL: ભારત છઠ્ઠા હથિયારથી બોલિંગની ધાર વધારશે? Dinesh Karthikને મળી શકે છે તક

IND Vs SL Super-4 Match Today: ભારતે સુપર-4માં પાકિસ્તાન સામેની મેચ ગુમાવ્યા બાદ હવે કરો યા મરોની સ્થિતિ પર આવી ગયું ગયું. આજે શ્રીલંકા સામેની મેચમાં ભારતે ફાઈનલમાં પહોંચવા માટે જીતવું જરુરી છે. બીજી તરફ બોલિંગ ડિપાર્ટમેન્ટને વધારે મજબૂત કરવાની જવાબદારી પણ ભૂવનેશ્વર અને ચહલના ખભા પર રહેશે. દિનેશ કાર્તિક અને રિષભ પંત વચ્ચેનું કોકડું ગુંચવાયેલું માનવામાં આવે છે.

Edited byTejas Jingar | I am Gujarat 6 Sep 2022, 3:41 pm
નવી દિલ્હીઃ જો ભારતે એશિય કપના ફાઈલમાં જવું હોય તો 'કરો યા મરો'વાળી સુપર-4ની આજની શ્રીલંકા સામેની મેચ જીતવી જરુરી છે. પાછલી મેચમાં ભારતીય ટીમના બેટિંગ ડિપાર્ટમેન્ટે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બોલિંગની ધાર ઓછી પડતા હાથમાં આવેલી બાજી ભારતે ગુમાવવાનો વારો આવ્યો હતો. ભારતને આજે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની જરુર પડશે. આ સાથે વધુ પ્રયોગથી પણ ટીમે બચવું પડશે. ઈન્જન્ડ રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાની ગેરહાજરીમાં ભારત પાસે બોલિંગમાં હાલ કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાન સામે ભારતીય ટીમ 5 બોલર્સ સાથે ઉતરી હતી. જે નિર્ણય ભારતના પક્ષમાં નહોતો રહ્યો, કારણ કે ભૂવનેશ્વરનો દિવસ સારો નહતો. પાકિસ્તાન સામેની પહેલી મેચમાં તરખાટ મચાવનાર હાર્દિકનું બેટ કે બોલિંગની ધાર કામ લાગી નહોતી. આવું જ યુજવેન્દ્ર ચહલ સાથે પણ થયું હતું. આજે ભારત છઠ્ઠા બોલરનો ઉપયોગ કરી શકે છે. પાછલી મેચમાં દીપક હુડ્ડા હતો પરંતુ તેની પાસે બોલિંગ કરાવાઈ નહોતી.
I am Gujarat IND Vs SL Asia Cup


હાર્દિક પટેલની ઓવર મહત્વની
પાંચ બોલરોની થિયરીમાં હાર્દિક પંડ્યાની ચાર ઓવર ઘણી જ મહત્વની બની જતી હોય છે. જો તેનો સ્પેલ બગડે તો તેની સીધી અસર અન્ય બોલર્સ પર પડી શકે છે. જો હાર્દિક સિવાય ટીમમાં અન્ય ત્રણ પેસર્સ હશે તો તેના પરથી ભાર હળવો થશે અને તે પોતાની સ્વાભાવિક રમત રમી શકશે. આવામાં ટીમમાં અક્ષર પટેલને પણ સ્થાન આપવામાં આવી શકે છે. આ સિવાય આવેશ ખાન પણ ફીટ હશે તો વધુ એક ઓપ્શન મળી શકે છે.

રિષભ પંત કે પછી દિનેશ કાર્તિક?
હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે ભારત વર્લ્ડકપ પહેલા પોતાની સર્વશ્રેષ્ઠ અંતિમ ઈલેવન સાથે રમવાની કોશિશ કરશે, પરંતુ રોહિત શર્માની આગેવાનીમાં ટીમમાં પ્રયોગ કરવાનું હજુ પણ ચાલુ છે. ટીમમાં રિષભ પંત વિરુધ દિનેશ કાર્તિકની ચર્ચા પણ ચાલી રહી છે. કાર્તિકને પહેલી બે મેચમાં તક મળી પરંતુ તેને માત્ર એક જ બોલ રમવાનો મોકો મળ્યો હતો. પહેલા બે મેચમાં કાર્તિકને સ્થાન અપાયું અને તેને કોઈ પરફોર્મન્સ કરવાની તક મળે તે પહેલા બહાર કરી દેવાયો તે મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે.

કેપ્ટન રોહિત શર્માની ભૂલ?
પાકિસ્તાન સામેની પાછલી મેચમાં ટીમ મેનેજમેન્ટ દીપક હુડ્ડાને રમાડ્યો. દીપક બેટિંગની સાથે ઓફ બ્રેક બોલિંગ પણ કરે છે, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ તેને પાકિસ્તાન સામે બોલિંગની તક જ નહોતી આપી, જેના કારણે સૌ કોઈને આશ્ચર્ય થતું હતું. ટીમના બોલર નિષ્ફળ જઈ રહ્યા હતા આમ છતાં હુડ્ડાનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. જેના કારણે કેપ્ટન રોહિતની રણનીતિમાં કોઈ ભૂલ થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

નેટ રન રેટમાં પણ સુધારની જરુર
સુપર-4ની પોતાની પહેલી મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાને હરાવ્યું હતું અને ભારત સામે જીત મેળવીને ફાઈનલની ટિકિટ પાક્કી કરી શકે છે. ભારત પાસે બે મેચ બચી છે અને ફાઈનલમાં પહોંચવા બન્ને જીતવી જરુરી છે. આ સાથે ટીમે રનરેટમાં પણ સુધાર કરવાની જરુર છે. કારણ કે પાકિસ્તાન અને શ્રીલંકા નેટ રન રેટમાં પ્લસમાં ચાલી રહ્યા છે. એટલે કે જો આજે ભારત શ્રીલંકાને હરાવી દે અને તે પછી શ્રીલંકા પાકિસ્તાનને હરાવે તો ત્રણે ટીમના બે-બે પોઈન્ટ્સ થઈ જશે. આવામાં રન રેટના આધારે કોઈ પણ બે ટીમ ફાઈનલમાં ટકરાશે.

ભારત અને શ્રીલંકા વચ્ચેનો રેકોર્ડ

કુલ મેચઃ 25
ભારતની જીતઃ 17
શ્રીલંકાની જીતઃ 7
નો રિઝલ્ટઃ 1

Read Next Story