એપશહેર

સ્ટેડિયમમાં દર્શકોની ગેરહાજરીમાં રમાશે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની મેચ

ઓમિક્રોનના નવા વેરિયન્ટને કારણે ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચોમાં સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

I am Gujarat 20 Dec 2021, 9:20 pm

હાઈલાઈટ્સ:

  • ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચો માટે સ્ટેડિયમની ટિકિટ વેચાશે નહીં
  • કોરોનાને કારણે ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષા માટે CSA અને BCCI સંયુક્ત રીતે કર્યો નિર્ણય
  • ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ અને 3 વન-ડે મેચ રમશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat VIRAT KOHLI
સાઉથ આફ્રિકામાં મળી આવેલાં ઓમિક્રોનના નવા વેરિયન્ટની અસર હવે ક્રિકેટ પર જોવા મળી રહી છે. 26 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે. પણ હાલમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને કારણે સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં. સોમવારે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ મામલે સત્તાવાર જાહેરાત કરી હતી.

કોરોનાને કારણે સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં
સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારત ત્રણ ટેસ્ટ મેચ રમશે, અને સેન્ચુરીયન સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે. આ ઉપરાંત જાન્યુઆરી 19થી ભારત ત્રણ વન-ડે મેચ પણ રમશે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ દ્વારા એક નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું હતું કે, બંધ દરવાજામાં મેચ રમાડવાનો નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે મળીને સંયુક્ત રીતે લેવામાં આવ્યો છે.
શાર્દુલ-વિહારી કે રહાણેમાંથી પ્રથમ ટેસ્ટમાં કોને ચાન્સ આપશે વિરાટ કોહલી?
ખેલાડીઓ તેમજ સ્ટાફના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે નિર્ણય લેવામાં આવ્યો
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, કોરોનાના રિસ્કને કારણે પ્રવાસ પર કોઈપણ અડચણ ઉભી ન થાય તે માટે અને સાથે બાયો બબલ એનવાયરમેન્ટને સારી રીતે લાગુ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલાડીઓ તેમજ સ્ટાફના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 26 ડિસેમ્બરે સેન્ચુરીયનમાં પ્રથમ ટેસ્ટ મેચ બાદ સીરિઝની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીએ જોહાનિસબર્ગમાં રમાશે અને સીરિધની ત્રીજી અને અંતિમ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉન ખાતે રમાશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારત 3 વન-ડે અને 3 ટેસ્ટ મેચ રમશેઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે મોટી સંખ્યામાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. અને આ જ કારણે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ દ્વારા મેચ માટેની ટિકિટ ન વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકામાં ઘરેલુ ટુર્નામેન્ટ ચાર દિવસીય ફ્રેન્ચાઈઝી સીરિઝની બાકીની મેચ સ્થગિત કરી દેવામાં આવી છે. સ્થગિત કરી દેવામાં આવેલી આ મેચો આગામી વર્ષે રમવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો