એપશહેર

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ સેના માટે માથાનો દુખાવો બની શકે છે આ ખેલાડી

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલનું કહેવું છે કે એક ખેલાડી ભારતીય ટીમ માટે સૌથી મોટો પડકાર રહેશે

I am Gujarat 20 Nov 2020, 10:55 pm
નવી દિલ્હીઃ ક્રિકેટ પ્રેમીઓ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતે બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો અને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ આ વખતે પણ ટીમ પાસેથી તેવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, ગત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં બે દિગ્ગજ બેટ્સમેન સ્ટિવ સ્મિથ રમ્યો ન હતો પરંતુ આ વખતે સ્મિથ ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ છે. જેના કારણે સ્ટાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલનું કહેવું છે કે સ્મિથ ભારત માટે માથાનો દુખાવો બની રહેશે.
I am Gujarat india tour australia steve smiths return big headache for india says glenn maxwell
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ સેના માટે માથાનો દુખાવો બની શકે છે આ ખેલાડી


2018-19ની સિરીઝમાં પ્રતિબંધના કારણે ન હતા રમ્યા વોર્નર-સ્મિથ

ભારતે 2018-19મા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડ્યો હતો જેમાં વિરાટ કોહલીની ટીમે ત્યાં ટેસ્ટ અને વન-ડે સિરીઝ જીતી હતી. એક મેચ વરસાદમાં ધોવાઈ જવાના કારણે ટી20 સિરીઝ 1-1થી ટાઈ રહી હતી. જોકે, ભારતના તે પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ રમ્યા ન હતા. બોલ ટેમ્પરિંગ બદલ તેઓ પ્રતિબંધનો સામનો કરી રહ્યા હતા.

ભારત સામે સ્ટિવ સ્મિથે હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે

જોકે, આ વખતે સ્મિથ અને વોર્નર બંને ત્રણેય ફોર્મેટ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ છે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલે જણાવ્યું હતું કે, સ્ટિવ સ્મિથ અમારી ટીમમાં સામેલ છે અને અમારા માટે તે ઘણી મોટી વાત છે જ્યારે ભારતીય ટીમ માટે માથાનો દુખાવો છે. સ્મિથે ભારત સામે હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

રોહિતની ગેરહાજરી ઓસ્ટ્રેલિયા માટે ફાયદારૂપ રહેશે

ત્રણે ફોર્મેટ માટેની ટીમમાં સ્મિથ અને વોર્નર સામેલ છે જ્યારે ભારતને મર્યાદિત ઓવર્સની સિરીઝમાં સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની ખોટ સાલશે. આઈપીએલ દરમિયાન રોહિત શર્માની હામસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. રોહિત ટેસ્ટ સિરીઝમાં ટીમ સાથે જોડાશે. તેની ગેરહાજરીમાં લોકેશ રાહુલને વન-ડે અને ટી20 સિરીઝ માટે ઉપસુકાની બનાવવામાં આવ્યો છે. મેક્સવેલનું કહેવું છે કે રોહિતની ગેરહાજરી યજમાન ટીમ માટે ઘણી હકારાત્મક વાત છે. તેણે કહ્યું હતું કે, રોહિત શર્મા એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને ઓપનિંગમાં તેનું પ્રદર્શન હંમેશા સાતત્યપૂર્ણ રહ્યું છે અને તેણે ત્રણ બેવડી સદી ફટકારી છે. તેથી તમારી સામે રમી રહેલી ટીમમાં રોહિત શર્મા ન હોય તે ઘણી મોટી હકારાત્મક વાત છે.

27 ડિસેમ્બરથી શરૂ થશે ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારત ત્રણ વન-ડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમશે. 27 નવેમ્બરે સિડનીમાં રમાનારી પ્રથમ વન-ડેથી ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત થશે. ત્યારબાદ 29 નવેમ્બરે બીજી અને 2 ડિસેમ્બરે ત્રીજી વન-ડે રમાશે. જ્યારે 4, 6 અને 8 ડિસેમ્બરે અનુક્રમે પ્રથમ, બીજી અને ત્રીજી ટી20 રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17થી 21 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. જ્યારે 26થી 30 ડિસેમ્બરે બીજી, 7થી 11 જાન્યુઆરી દરમિયાન ત્રીજી અને 15થી 19 જાન્યુઆરી દરમિયાન ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો