સિડની અને બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટમાં ધમાકેદાર પ્રદર્શન કરનારા રિશભ પંત માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાની રણનીતિ બદલાનું વિચારી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટની રણનીતિ છે કે એશિયન ધરતી પર ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સહાને રમાડવામાં આવે છે જ્યારે એશિયાની બહાર રિશભ પંત ટીમમાં સામેલ હોય છે.
જોકે, હવે મેનેજમેન્ટ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની સિરીઝણાં આ રણનીતિ બદલી શકે છે. ભારતે હજી પોતાની અંતિમ ઈલેવન નક્કી કરી નથી પરંતુ ટીમ પાંચ બોલર્સ સાથે રમવાનું વિચારી રહી છે તેવામાં વિકેટકીપર તરીકે સહાના બદલે પંતને તક મળી શકે છે.
કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સિરીઝથી કમબેક કરી રહ્યો છે અને તે ચોથા ક્રમે બેટિંગમાં આવશે જ્યારે અજિંક્ય રહાણે પાંચમાં ક્રમે આવશે. તેવામાં પંતને છઠ્ઠા ક્રમે બેટિંગ કરવી પડશે. રિશભ પંતનું વિકેટકીપિંગ થોડુ નબળું છે જેના કારણે ભારતમાં ટેસ્ટમાં તેને તક મળતી નથી. પંત ભારત માટે 16 ટેસ્ટ રમ્યો છે જેમાં ફક્ત બે જ ટેસ્ટ ભારતમાં રમ્યો છે.
ભારત પાસે સહાને વિકેટકીપર તરીકે અને પંતને બેટ્સમેન તરીકે રમાડવાનો વિકલ્પ છે પરંતુ બંનેને સામેલ કરવામાં આવે તો બોલિંગ વિભાગને અસર પડી શકે છે. જો ભારતીય ટીમ પંતને સામેલ કરશે તો ઓક્ટોબર 2018 બાદ તે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ રમશે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, રિશભ પંત ભૂલો કરે છે તેમાં કોઈ શંકા નથી પરંતુ હજી તે 23 વર્ષનો છે. તમે 23 વર્ષના ખેલાડની તુલના 36 વર્ષીય ખેલાડી સાથે કરો છો. સહા ઘણો અનુભવી છે અને પંત પાસે અનુભવ વધારે નથી. જ્યારે પંત પોતાના અનુભવથી શીખી જશે તો તે વિશ્વનો ટોચનો વિકેટકીપર બેટ્સમેન બની જશે.
જોકે, હવે મેનેજમેન્ટ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની સિરીઝણાં આ રણનીતિ બદલી શકે છે. ભારતે હજી પોતાની અંતિમ ઈલેવન નક્કી કરી નથી પરંતુ ટીમ પાંચ બોલર્સ સાથે રમવાનું વિચારી રહી છે તેવામાં વિકેટકીપર તરીકે સહાના બદલે પંતને તક મળી શકે છે.
કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સિરીઝથી કમબેક કરી રહ્યો છે અને તે ચોથા ક્રમે બેટિંગમાં આવશે જ્યારે અજિંક્ય રહાણે પાંચમાં ક્રમે આવશે. તેવામાં પંતને છઠ્ઠા ક્રમે બેટિંગ કરવી પડશે. રિશભ પંતનું વિકેટકીપિંગ થોડુ નબળું છે જેના કારણે ભારતમાં ટેસ્ટમાં તેને તક મળતી નથી. પંત ભારત માટે 16 ટેસ્ટ રમ્યો છે જેમાં ફક્ત બે જ ટેસ્ટ ભારતમાં રમ્યો છે.
ભારત પાસે સહાને વિકેટકીપર તરીકે અને પંતને બેટ્સમેન તરીકે રમાડવાનો વિકલ્પ છે પરંતુ બંનેને સામેલ કરવામાં આવે તો બોલિંગ વિભાગને અસર પડી શકે છે. જો ભારતીય ટીમ પંતને સામેલ કરશે તો ઓક્ટોબર 2018 બાદ તે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ રમશે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, રિશભ પંત ભૂલો કરે છે તેમાં કોઈ શંકા નથી પરંતુ હજી તે 23 વર્ષનો છે. તમે 23 વર્ષના ખેલાડની તુલના 36 વર્ષીય ખેલાડી સાથે કરો છો. સહા ઘણો અનુભવી છે અને પંત પાસે અનુભવ વધારે નથી. જ્યારે પંત પોતાના અનુભવથી શીખી જશે તો તે વિશ્વનો ટોચનો વિકેટકીપર બેટ્સમેન બની જશે.