એપશહેર

વિડીયોઃ વિરાટ કોહલીએ મેદાનમાં વગાડી સીટી, જાણો શું છે તે પાછળનું કારણ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે રવિવારે કોહલીએ મેદાન પર જ સીટી વગાડી હતી

I am Gujarat 14 Feb 2021, 9:38 pm
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ગત વર્ષે માર્ચ બાદ પ્રથમ વખત પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે. આ જ મેદાનમાં પ્રથમ ટેસ્ટ પણ રમાઈ હતી પરંતુ ત્યારે પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી ન હતી. પરંતુ બીજી ટેસ્ટ માટે 50 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે.
I am Gujarat whistle podu


ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પ્રેક્ષકોને ટીમને ચીયર કરવાનું કહેતો હતો. ભારતે પ્રથમ દાવમાં 329 રનનો સ્કોર નોંધાવ્યા બાદ બોલર્સે પણ વેધક બોલિંગ કરી હતી. ઈંગ્લેન્ડની વિકેટો એક પછી એક પડી રહી હતી. તેવામાં ઓવર બદલાઈ તે દરમિયાન તેણે પ્રેક્ષકો સામે સીટી વગાડતો હોય તેવી એક્શન કરી હતી અને તેમને થોડો અવાજ કરવાનું કહ્યું હતું.
નોંધનીય છે કે ચેન્નઈનું સ્ટેડિયમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ચેન્નઈ સુપર કિંગ્સનું હોમગ્રાઉન્ડ છે અને 'વ્હિસલ પોડુ' તેમની ટેગલાઈન છે. કોહલીએ તે જ કારણથી પ્રેક્ષકો તરફ સીટી (વ્હિસલ) વગાડવાનો ઈશારો કર્યો હતો. આમ તો આઈપીએલમાં ચેન્નઈ અને કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર કટ્ટર હરીફ માનવામાં આવે છે પરંતુ કોહલીએ ચેન્નઈના ક્રિકેટપ્રેમીઓને રાષ્ટ્રીય ટીમનું પ્રોત્સાહન વધારવા કહ્યું હતું.

બીજી ટેસ્ટમાં ભારતે પોતાનો દબદબો બનાવી લીધો છે. લોકલ હિરો રવિચંદ્રન અશ્વિને તરખાટ મચાવી દીધો હતો અને તેણે પાંચ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 134 રનમાં આઉટ થઈ ગઈ હતી. અશ્વિન ઉપરાંત ઈશાન્ત શર્મા તથા અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ સિરાજને એક સફળતા મળી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો