એપશહેર

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામે સીરિઝમાં નહીં રમી શકે રવિન્દ્ર જાડેજા

હજુ સંપૂર્ણપણે સ્વસ્થ નથી થઈ શકી રવિન્દ્ર જાડેજાની ઈજા, ભારતને ફટકો

I am Gujarat 10 Feb 2021, 11:44 pm
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ગુમાવનાર ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ સીરિઝની અન્ય મેચમાં પણ નહીં રમી શકે. ક્રિકબઝ અનુસાર, જાડેજાની ઈજા હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકી નથી. જેના કારણે તે સીરિઝ નહીં રમી શકે.
I am Gujarat injured ravindra jadeja unavailable for selection during england test series
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામે સીરિઝમાં નહીં રમી શકે રવિન્દ્ર જાડેજા


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝના ત્રીજા મેચના ત્રીજા દિવસે જાડેજાના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયુ હતું. જેના કારણે તે અંતિમ ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો હતો. ઈજા પછી તેને બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

જ્યારે ઈંગ્લેન્ડ સામે શરુઆતની બે મેચ માટે ટીમની જાહેરાત થઈ ત્યારે આશા હતી કે ત્રીજા અને ચોથા ટેસ્ટ પહેલા જાડેજા ફીટ થઈ જશે પરંતુ હવે આવું થતું નથી જોવા મળી રહ્યું. તેની જગ્યાએ શાહબાઝ નદીમને ટીમમાં રાખવામાં આવ્યો છે અને પહેલી ટેસ્ટ મેચમાં રમાડવામાં પણ આવ્યો હતો. જોકે, તે આશા અનુસાર પ્રદર્શન કરી શક્યો નહોતો.

એવું માનવામાં આવી રહ્યું છે કે અક્ષર પટેલ ચેન્નઈમાં યોજાનાર બીજી ટેસ્ટમાં નદીમની જગ્યાએ ટીમમાં એન્ટ્રી કરી શકે છે. અક્ષર પણ પહેલી ટેસ્ટમાંથી અનફિટ થઈ ગયો હતો અને ડેબ્યૂની તક ચૂકી ગયો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો